નિવેદન / જાણો આખરે કેમ કોંગ્રેસ સત્તામાંથી બહાર ફેંકાઇ, યોગ ગુરૂનું ચોંકાવનારું નિવેદન

 Yoga Guru baba ramdev said nehru-indira gandhi descendants did not respect yoga

યોગ ગુરૂ બાબા રામદેવે યોગ અને કોંગ્રેસની હારની સરખામણી કરતા કહ્યું કે, 'જવાહરલાલ નહેરૂ અને ઈન્દિરા ગાંધીએ પર્સનલી રીતે યોગને અપનાવ્યો હતો. જ્યારે તેમનાં વારસદારોએ યોગનું સન્માન કર્યુ નહીં જેથી તે સત્તામાંથી બહાર ફેંકાઈ છે. સાથો સાથ બાબા રામદેવે એવું પણ કહ્યું કે, જે લોકો યોગ કરે છે તેઓને ભગવાનનો સીધો આશીર્વાદ મળે છે.' બાબા રામદેવે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આર્ટિકલ 370 અને ત્રિપલ તલાક સહિતનાં અનેક મુદ્દાઓનું નિરાકરણ આવશે. મોદી એવાં પહેલા પ્રધાનમંત્રી છે કે જેઓએ જાહેરમાં યોગને સ્વીકાર્યો અને યોગ કર્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ