યોગ ગુરૂ બાબા રામદેવે યોગ અને કોંગ્રેસની હારની સરખામણી કરતા કહ્યું કે, 'જવાહરલાલ નહેરૂ અને ઈન્દિરા ગાંધીએ પર્સનલી રીતે યોગને અપનાવ્યો હતો. જ્યારે તેમનાં વારસદારોએ યોગનું સન્માન કર્યુ નહીં જેથી તે સત્તામાંથી બહાર ફેંકાઈ છે. સાથો સાથ બાબા રામદેવે એવું પણ કહ્યું કે, જે લોકો યોગ કરે છે તેઓને ભગવાનનો સીધો આશીર્વાદ મળે છે.' બાબા રામદેવે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આર્ટિકલ 370 અને ત્રિપલ તલાક સહિતનાં અનેક મુદ્દાઓનું નિરાકરણ આવશે. મોદી એવાં પહેલા પ્રધાનમંત્રી છે કે જેઓએ જાહેરમાં યોગને સ્વીકાર્યો અને યોગ કર્યા.
યોગ ગુરૂ બાબા રામદેવે યોગ અને કોંગ્રેસની હારની સરખામણી કરતા કહ્યું કે, 'જવાહરલાલ નહેરૂ અને ઈન્દિરા ગાંધીએ પર્સનલી રીતે યોગને અપનાવ્યો હતો. જ્યારે તેમનાં વારસદારોએ યોગનું સન્માન કર્યુ નહીં જેથી તે સત્તામાંથી બહાર ફેંકાઈ છે. સાથો સાથ બાબા રામદેવે એવું પણ કહ્યું કે, જે લોકો યોગ કરે છે તેઓને ભગવાનનો સીધો આશીર્વાદ મળે છે.'
બાબા રામદેવે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આર્ટિકલ 370 અને ત્રિપલ તલાક સહિતનાં અનેક મુદ્દાઓનું નિરાકરણ આવશે. મોદી એવાં પહેલા પ્રધાનમંત્રી છે કે જેઓએ જાહેરમાં યોગને સ્વીકાર્યો અને યોગ કર્યા. આ સિવાય ભાજપનાં તમામ કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો પણ યોગાભ્યાસ કરે છે. જેનાંથી યોગની પ્રતિષ્ઠા વધી છે. યોગ આપણી બહુ મોટી ધરોહર છે અને રાજનીતિ, જાતિ, આસ્થા અને ધર્મથી પર લોકોએ પણ રાષ્ટ્રધર્મ યોગને અપનાવ્યો છે.
(Credit: dbpost)
તમને જણાવી દઇએ કે 21 જૂનને વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવે છે. આ મોકા પર યોગ ગુરૂ બાબા રામદેવ મહારાષ્ટ્રમાં હાજર રહેશે. બાબ રામદેવ મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે નાંદેડમાં યોગ કરશે. યોગ દિવસ પહેલા રામદેવે કહ્યું કે, "પીએમ મોદી સાર્વજનિક રીતે યોગ કરે છે. જ્યારે છુપાઇને પૂર્વ પીએમ જવાહરલાલ નહેરૂ અને ઇન્દિરા ગાંધી પણ યોગ કરતા હતાં. તેમની આવનારી પેઢીએ યોગ ના કર્યા જેથી તેમની રાજનીતિમાં ગડબડ થઇ ગઇ. યોગ કરનારાઓ માટે સારા દિવસો હોય છે."
તમને જણાવી દઇએ કે 2014ની જેમ આ વખતે પણ કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન કર્યુ. 2014માં 44 સીટ જીતનારી કોંગ્રેસ આ વખતે 52 સીટ જ હાંસલ કરી શકી. એવામાં આ ખરાબ પ્રદર્શનને બહાને બાબા રામદેવને કોંગ્રેસ પર પ્રહાર સાધવાનો મોકો મળ્યો અને આ વખતે તેઓએ યોગને લઇને કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા છે.
મોટું આયોજન કરવામાં જોડાયાં અનેક દેશઃ
21 જૂનનાં રોજ ઉજવવામાં આવતા યોગ દિવસને સંયુક્ત રાષ્ટ્ર સહિત અનેક દેશ આને માટે મોટું આયોજન કરવામાં જોડાયા છે. આ સિવાય પીએમ મોદી પણ તૈયાર છે. પીએમ મોદી પોતાનાં ટ્વિટર એકાઉન્ટ પર અલગ-અલગ યોગ ક્રિયાનાં વીડિયો પણ ટ્વિટ કરે છે. પીએમ મોદી કહે છે કે, યોગને પોતાનાં જીવનનું અભિન્ન અંગ બનાવો અને બીજાને પણ આવું કરવા માટે પ્રેરિત કરે. યોગથી થનારા ફાયદાઓ પણ ખૂબ શાનદાર હોય છે.