આવતીકાલે એટલે કે 21 જૂને વર્લ્ડ યોગા ડે છે. સમગ્ર વિશ્વમાં આ દિવસ ખૂબ જ સારી રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે. ત્યારે આ નિમિત્તે અમે તમને આસનોમાં સૌથી બેસ્ટ એવા સૂર્ય નમસ્કારના ફાયદા જણાવીશું. સૂર્ય નમસ્કાર 12 યોગાસનને મળીને બને છે. જો રોજ સવારે ખાલી પેટ 20 મિનિટ સૂર્ય નમસ્કાર કરવામાં આવે તો શરીરને અનેક હેલ્થ પ્રોબ્લેમ્સથી બચાવી શકાય છે. આ બોડીને ફિટ રાખવા માટે ખૂબ જ ઈફેક્ટિવ માનવામાં આવે છે. યોગ એક્સપર્ટ રત્નેશ પાંડે જણાવી રહ્યાં છે સૂર્ય નમસ્કારના 10 ફાયદા અને તેને કરવાની રીત.
સૂર્ય નમસ્કાર કરવાના ફાયદા
સૌથી પહેલાં તો તમને જણાવી દઈએ કે સૂર્ય નમસ્કાર એક એવો આસન છે જેને કરી લેવાથી આખા શરીરની કસરત થઈ જાય છે.
આ આસન રોજ 10 મિનિટ કરી લેવાથી ડાઈજેશન સારું રહે છે અને કબજિયાત, એસિડિટીમાં આરામ મળે છે.
સૂર્ય નમસ્કાર કરવાથી પેટના મસલ્સ મજબૂત થાય છે અને પેટ પરનો ફેટ પણ દૂર થાય છે.
આ આસન રોજ કરવાથી શરીરમાં ઓક્સીજન અને લોહીનું પરિભ્રમણ સુધી છે. બોડી ડિટોક્સ થાય છે.
સૂર્ય નમસ્કાર નર્વસ સિસ્ટમને સુધારે છે. તેનાથી સ્ટ્રેસ પણ દૂર થાય છે.
આ આસન રોજ કરવાથી બોડી ફ્લેક્સિબલ અને લચીલી બને છે.
મહિલાઓ માટે પણ આ બેસ્ટ છે. તેમના પીરિયડ્સ રેગ્યુલર થઈ જાય છે.
પીઠ માટે પણ આ આસન ખૂબ જ સારું છે. તેનાથી કરોડરજ્જૂ મજબૂત બને છે.
સ્કિન માટે પણ આ ખૂબ જ સારું છે. તેનાથી ચહેરાનો તેજ અને ગ્લો વધે છે.