જી-20 સંમેલનમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્જેન્ટીના પહોંચ્યા છે. અહીં સૌથી પહેલા પીએમ મોદીએ બ્યૂનસ આયર્સમાં આયોજિત 'શાંતિ માટે યોગ' કાર્યક્રમમાં ભાગ લીધો. આ કાર્યક્રમમાં હજારો લોકોએ યોગ કર્યો.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ચાર દિવસનો પ્રવાસ છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ કાર્યક્રમને 'શાંતિ માટે યોગ' નામ આપવામાં આવ્યું છે.
યોગ આપણને સારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે અને આપણા મગજને શાંત રાખવાની તાકાત આપે છે. જ્યારે વ્યક્તિનો મગજ શાંત રહે છે ત્યારે દુનિયામાં શાંતિ સ્થપાઇ છે. શાંતિ માટે ભારત તરફથી દુનિયાને આ ખાસ ભેટ છે.
G-20 સંમેલનમાં હાજરી આપવા પ્રધાનમંત્રી મોદી આર્જેન્ટિના પહોચ્યા જ્યા તેઓ બે મહત્વની બેઠકમાં ભાગ લેશે. જાપાન અમેરિકા અને ભારત તેમજ રશિયા ચીન એમ બે ત્રિપક્ષીય બેઠક યોજાશે.
જેમાં ટ્રમ્પ અને આબે સાથેની બેઠકમાં ચીનની સાઉથ ચાઇનાની ગતિવિધિઓ મામલે ચર્ચા કરવામાં આવી શકે છે. 12 વર્ષે બે ત્રિપક્ષિય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.