ગુજરાતમાં રંગોત્સવ પર્વ ધૂળેટીના દિવસે 8 લોકોના ડૂબી જવાથી મોત થયાં છે, જ્યારે રીબડા ખાતે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા 11 બળદોને ટ્રેને અડફેટે લેતા 6 બળદો મોત નિપજ્યા છે.
ગઈકાલે ધૂળેટીના પર્વ પર ગુજરાતમાં 8 લોકો ડૂબ્યા
ધૂળેટીમાં પરિવારના જીવનના રંગ ઉડયાં
રીબડા રેલવે સ્ટેશન ઉપર ટ્રેનની ઠોકરે બળદ 6નાં મોત
ગઈકાલનો રંગોત્સવનો તહેવાર ધૂળેટી કેટલાક પરિવારો માટે શોકમય બન્યો છે. ગુજરાતમાં ધૂળેટીના દિવસે અલગ અલગ દુર્ઘટનામાં પાણીમાં 8 લોકોના ડૂબી જવાની ઘટના સામે આવી હતી. જેમાં બોટાદમાં 4, સુરતમાં 2 અને રાજકોટમાં 1 યુવક જ્યારે વડોદરામાં પણ એક યુવક ડૂબી જતા મોત નિપજ્યું હતું. તો રીબડામાં ધૂળેટી પર્વ નિમિત્તે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં રીબડા રેલ્વે સ્ટેશન પર રાજકોટ તરફ જતી ઈન્ટરસિટી ટ્રેને 11 બળદને અડફેટે લીધા હતા. જેમાં 6 બળદોના મોત નિપજ્યા હતા અને 5 બળદો ઈજાગ્રસ્ત થયા હતા.
6 બળદોના ઘટનાસ્થળે જ મોત અને 5 બળદો ઈજાગ્રસ્ત
આ અંગે વિગતવાર વાત કરીએ તો રાજકોટના રીબડા રેલ્વે સ્ટેશન પર બપોરના સમયે એક ઈન્ટરસિટી ટ્રેન આવી રહી હતી. ત્યારે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા 11 જેટલા બળદોને ટ્રેને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં કુલ 6 બળદોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 5 બળદો ઈજાગ્રસ્ત થયા હતા. તો અકસ્માત સર્જાતા બળદ માલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ત્યારે ઘટનાની જાણ ગૌ પ્રેમીઓને થતા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને પશુ પ્રેમીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બળદોને ઘટના સ્થળે જ પ્રાથમિક સારવાર આપ્યા બાદ એનિમલ શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરી હતી.
8 લોકોના ડૂબી જવાથી મોત
ગઈકાલે રંગોત્સવનો તહેવાર ધૂળેટી કેટલાક પરિવારો માટે શોકમય બન્યો હતો. ધૂળેટીના દિવસે રાજ્યમાં અલગ અલગ દુર્ઘટનામાં પાણીમાં 8 લોકોના ડૂબી જવાની ઘટના સામે આવી હતી. જેમાં બોટાદમાં 4, સુરતમાં 2 અને રાજકોટમાં 1 યુવક જ્યારે વડોદરામાં પણ એક યુવક ડૂબી જતા મોત નિપજ્યું હતું.
વડોદરાના પાદરામાં 14 વર્ષીય કિશોરનું મોત
વડોદરાના પાદરા ખાતે પસાર થતી નર્મદા કેનાલમાં ન્હાવા પડેલ 14 વર્ષીય કિશોરનું મોત નિપજ્યં હતું. ત્યારે પાદરાનાં તાજપુરા રોજ પર આવેલ રામ રેસીડેન્સીમાં રહેતા કિશોર સ્મિત આશિષ ખરાદીનું મોત નિપજ્યું હતું. કેનાલમાં હાથ પગ ધોવા ગયા હતા. તે દરમ્યાન કેનાલમાં ડૂબી ગયા હતા. ત્યારે બંને બાળકોને કેનાલમાંથી બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતો. જ્યારે મૃતકને સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.
બોટાદ ચાર યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં
બોટાદમાં હોળી રમીને કેનાલમાં ન્હાવા પડેલા ચાર યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં હતા. મળતી માહિતી અનુસાર, બોટાદના સેથળી ગામ પાસે કેનાલમાં ચાર યુવકો તણાયા હતા. આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવી હતી. આ દરમિયાન કેનાલમાંથી 4 યુવકોને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતાં મામલતદાર સહિત પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ચારેય યુવકો બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલી અશોક વાટિકાના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.
ડેમમાં ડૂબી જતા એક યુવકનું મોત
રાજકોટમાં પણ ડૂબી જવાથી એક યુવકનું મોત નીપજ્યું હતું. 19 વર્ષીય યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મળતી માહિતી અનુસાર, ધૂળેટી રમ્યા બાદ યુવકો આજી ડેમમાં ન્હાવા પડ્યાં હતા. જે પૈકી એક યુવકનું ડૂબી જતાં મોત નિપજ્યું હતું. ફાયર વિભાગની ટીમ દ્વારા 19 વર્ષીય યુવકના મૃતદેહને ડેમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
સુરતમાં ડૂબી જવાથી 2ના મોત
સુરતમાંથી પણ આવો જ દુઃખદ બનાવ સામે આવ્યો હતો. ધૂળેટીને લઈને ન્હાવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં હતા. મળતી માહિતી અનુસાર, કોઝવેમાં 2 યુવકો ન્હાવા માટે પડ્યા હતા. આ દરમિયાન તેઓ અચાનક ડૂબ્યા હતા. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર અને પોલીસની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા બંને યુવકોને કોઝવેમાંથી બહાર કાઢી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેઓને સારવાર મળે તે પહેલા જ બંને યુવકોનું મોત નીપજ્યું હતું.