મહારાષ્ટ્ર રાજ્યના પર્યટન મંત્રી મંગલ પ્રભાત લોઢાએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે દૌલતાબાદ કિલ્લાનું નામ બદલવામાં આવશે.
મહારાષ્ટ્રના દૌલતાબાદ કિલ્લાનું નામ બદલવામાં આવશે
બીજેપી નેતા મંગલ પ્રભાત લોઢાએ વિડીયોમાં જણાવ્યું
વધુમાં લોઢાએ જણાવ્યું કે 'હા આ હિન્દુત્વની સરકાર છે'
મહારાષ્ટ્ર રાજ્યના પર્યટન મંત્રી મંગલ પ્રભાત લોઢાએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે દૌલતાબાદ કિલ્લાનું નામ બદલવામાં આવશે. તેમણે કહ્યું કે જે રીતે ઔરંગાબાદ જિલ્લાનું નામ બદલીને સંભાજી નગર કરવામાં આવ્યું છે. એ જ રીતે દૌલતાબાદ કિલ્લાનું નામ બદલીને દેવગીરી કરવામાં આવશે. તે જ સમયે મહારાષ્ટ્ર બીજેપીએ આ નિવેદન પર ટ્વીટ કર્યું અને લખ્યું કે હા આ હિન્દુત્વની સરકાર છે. ટ્વિટની સાથે મહારાષ્ટ્ર બીજેપીએ તેનો વીડિયો પણ ટ્વિટ કર્યો છે. જેમાં મંગલપ્રભાત લોઢા નામ બદલવાની વાત કરી રહ્યા છે.
નામ બદલવાની જાહેરાત
ઔરંગાબાદ અને ઉસ્માનાબાદનું નામ બદલીને અનુક્રમે છત્રપતિ સંભાજીનગર અને ધારાશિવ રાખવામાં આવ્યું છે. સાથે જ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર દૌલતાબાદ કિલ્લાનું નામ બદલીને દેવગિરી કરશે.
होय, हे हिंदुत्ववादी सरकार आहे!
"ज्याप्रमाणे औरंगाबादचे छत्रपती संभाजीनगर केले, त्याचप्रमाणे दौलताबाद किल्ल्याचे नाव देवगिरी केले जाईल!" - पर्यटन मंत्री श्री. @MPLodha जी pic.twitter.com/W49ecwxKkz
છત્રપતિ શિવાજીના પુત્રના નામ પર સંભાજીનગર રાખવામાં આવ્યું
ઔરંગાબાદનું નામ મુઘલ બાદશાહ ઔરંગઝેબના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જ્યારે તે આ પ્રદેશના રાજ્યપાલ હતા. શિવસેના લાંબા સમયથી આ શહેરના નામ બદલવાની માંગ કરી રહી હતી. ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજના મોટા પુત્રના નામ પરથી સંભાજીનગર રાખવામાં આવ્યું છે. મહત્વનું છે કે, શિવસેનાનું નામ પણ છત્રપતિ શિવાજી મહારાજના નામ પર રાખવામાં આવ્યું છે. આ રીતે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલીને સ્વ.ડી.બી. પાટીલ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવ્યું છે.
યુપીમાં યોગી આદિત્યનાથે પણ ઘણા નામ બદલ્યા હતા
તમને જણાવી દઈએ કે આ પહેલા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પોતાના રાજ્યના ઘણા શહેરોના નામ બદલ્યા હતા. યુપી સંગમ નગરી અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવામાં આવ્યું હતું. સાથે જ મહારાષ્ટ્ર રાજ્ય સરકાર પણ ઘણા નામો બદલી રહી છે.