રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સ્વીકાર કર્યો છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં મંદીનો સમય ચાલી રહ્યો છે. જો કે અંબાણીએ તેને અસ્થાયી જણાવતાં કહ્યું કે સરકારે જે હાલમાં પગલા લીધા છે તેના કારણે આગામી ત્રિમાસિકમાં અર્થવ્યવસ્થામાં તેજી જોવા મળશે.
મુકેશ અંબાણીએ કહ્યું આર્થિક મંદી તો છે પરંતુ કામચલાઉ
રિયાદમાં આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદી મુખ્ય વક્તા હતા
મુકેશ અંબાણીએ શું કહ્યું
29થી 31 ઓક્ટોબર સુધી આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા પીએમ નરેન્દ્ર મોદી હતા. આ કાર્યક્રમમાં મુકેશ અંબાણી સહિત કેટલાંક ભારતીય દિગ્ગજ વેપારીઓ સામેલ થયા. મુકેશ અંબાણીએ મંગળવારે આ કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું કે, હાં, ભારતીય અર્થવ્યવસ્થામાં થોડી મંદી જરૂરીયાત છે, પરંતુ મારુ માનવુ છે કે આ કામચલાઉ છે. જો કે છેલ્લા મહિનાઓમાં જે પગલા લેવામાં આવ્યા છે તેને લઇને મને ભરોસો છે કે આગામી ત્રિમાસિકમાં અર્થવ્યવસ્થામાં તેજી જોવા મળશે.
મુકેશ અંબાણીએ કહ્યું સાઉદીમાં જોવા મળ્યો ફેરફાર
મુકેશ અંબાણીએ સંબોધન કરતાં જણાવ્યું કે પીએમ મોદી, સાઉદી કિંગ સલમાન બિન અબ્દુલ અજીજ અલ સઉદ અને તેમના દિકરા પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અજીજને લઇને જણાવ્યું કે, આ લોકોના ઉપર એવું નેતૃત્વ છે જે ગતિ દેનારું છે. બંને દેશમાં એવું નેતૃત્વ છે જે દુનિયામાં અલગ છે. સાઉદી અરબમાં ગત 2-3 વર્ષમાં ઘણો ફેરફાર જોવા મળ્યો.
સરકારે શું પગલા લીધાં?
ઉલ્લેખનીય છે કે અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે હાલમાં જ કેન્દ્ર સરકારે ઘણા પગલા લીધા. નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ઘણી જાહેરાત કરવામાં આવી. કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો તેમજ ઘણા બધા સરચાર્જ હટાવવામાં આવ્યાં. નોન બેકિંગ નાણાકીય કંપનીઓની સ્થિતિ સુધારવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો. બેંકોને નવી રકમ આપવામાં આવી રહી છે.
આ વર્ષના ઓગસ્ટમાં મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આ જાહેરાત કરી હતી કે સાઉદી અરબની દિગ્ગજ સરકાર કંપની અરામકો તેમની રિફાઇનરી અને પેટ્રોકેમિકલ વેપારમાં 20 ટકાની ભાગીદારી ખરીદશે. આ ડીલ અંદાજે 75 અરબ ડોલરની હશે, જે આગામી 2020ના પ્રથમ છ માસિક સુધીમાં પૂરી કરવાની આશા છે. આ ભારતમાં થનારા રોકાણમાંનું સૌથી મોટું હશે.