નાણાંકીય સંકટ સામે લડી રહેલી યસ બેંકને બહાર લાવવા માટે ભારતીય રિઝર્વ બેંકે કેટલાક ખાસ પગલાં લીધા છે. કેન્દ્રીય બેંકે યસ બેંકના ગ્રાહકોને 1 મહિના સુધી 50 હજાર રૂપિયા સુધીની રકમ કાઢવાની સીમા નક્કી કરી છે. હવે આ સમયમર્યાદામાં ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા છે. એટલે કે 3 એપ્રિલના બદલે 23 માર્ચે જ આ સમયસીમા ખતમ કરી દેવાશે.
50 હજારની ઉપાડ મર્યાદા વહેલી હટાવી લેવાય તેવી શક્યતા
ઉપાડ મર્યાદા 3 એપ્રિલને બદલે 10 દિવસ વહેલી પૂરી થઇ શકે
23 માર્ચ આસપાસ ઉપાડ મર્યાદા હટાવી લેવાય તેવી શકયતા
ખાતેદારોની સુવિધાને ધ્યાનમાં રાખીને લેવાઈ શકે છે આ નિર્ણય
નાણાભીડમાં ફસાયેલી YES બેન્કના ખાતેદારો માટે રિઝર્વ બેન્કે ૬ માર્ચે એક મહિના માટે મહત્તમ રૂ. 50000ની રકમ જ ખાતામાંથી ઉપાડી શકાશે તેવી મર્યાદા લાદી હતી. પણ એવા સમાચાર મળી રહ્યા છે કે આ ઉપાડની મર્યાદામાં ઘટાડો કરવામાં આવે જેથી ખાતેદારોને રાહત મળે.
23 માર્ચ સુધીમાં હટાવી લેવાશે ઉપાડ મર્યાદા
રોકડ ઉપાડની આ રૂ. 50000ની મર્યાદા ૩ એપ્રિલને બદલે 10 દિવસ વહેલી હટાવી લેવામાં આવશે તેવા સંકેતો મળે છે. આમ 23 માર્ચ સુધીમાં એક જ તબક્કે અથવા તો તબક્કાવાર ઉપાડ મર્યાદા હટાવી લેવાશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.
RBIએ કહી હતી આ વાત
RBIએ આંતરિક રીતે 16 માર્ચે ઉપાડ મર્યાદા હટાવી લેવા નક્કી કર્યુ હતું. આ સાથે જ RBIએ જણાવ્યું છે કે તમામ ખાતેદારોના નાણાં સુરક્ષિત રહેશે અને સાથે જ ખાતેદારોને કોઈ મુશ્કેલી પણ પડશે નહીં.