સંકટમાં ફસાયેલી યસ બેંકને બચાવવા માટે SBIએ જે પ્લાન તૈયાર કર્યો છે તે હેઠળ 12,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. એટલું જ નહીં ભારતીય સ્ટેટ બેંકે RBIએ જે પ્રસ્તાવ મોકલ્યો છે તે પ્રાઇવેટ સેક્ટરમાં બેંકો સિવાયના કારોબારી રાધાકિશન દમાની, રાકેશ ઝુનઝુનવાલા અને અજીમ પ્રેમજી ટ્રસ્ટ દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે.
યસ બેંક પર સંકટ યથાવત
અજીમ પ્રેમજી અને રાધાકિશન દમાનીને સોંપવામાં આવી જવાબદારી
સમગ્ર મામલા સાથે જોડાયેલા સૂત્રોનો હવાલો આપતા ઇકોનોમિક ટાઇમ્સે પોતાના અહેવાલમાં આ જાણકારી આપી છે. ભારતીય સ્ટેટ બેંકના પ્લાન અનુસાર, યસ બેંકના નવા CEO તરીકે પ્રશાંત કુમારને જવાબદારી સોંપવામાં આવશે. જેઓ હાલ RBIના પ્રશાસક નિયુક્ત કરવામાં આવ્યા છે.
યસ બેંકનો 49 ટકા હિસ્સો SBI પાસે રહેશે
આ સાથે જ SBI દ્વારા મોકલવામાં આવેલ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, યસ બેંકનો 49 ટકા હિસ્સો તેમની પાસે રહેશે અને 45 હિસ્સો HDFC, ICICI, કોટક મહિન્દ્રા અને એક્સિસ બેંક 1-1 હજાર કરોડ રૂપિયા નાંખશે. આ તરફ કારોબારી રાધાકિશન દમાની, રાકેશ ઝુનઝુનવાલા અને અજીમ પ્રેમજી ટ્રસ્ટ દ્વારા 500 કરોડ રૂપિયાના રોકાણનો પ્રસ્તાવ છે.