એક ઓક્ટોબરનો મંગળવાર હતો જે યસ બેંકના શેર માટે અમંગળ સાબિત થયેલ અને તે તૂટીને 22 ટકા નીચેના સ્તરે આવી 32 રૂપિયાએ બંધ થયો. તે સમયે શેર 23 ટકા સુધીને 29.05 રૂપિયા સુધી પહોંચ્યો હતો.
જો કે, ત્યારબાદ બેંકે પરત ફરીને જોયું નથી. સતત આ બેંકના શેરમાં મજબૂતાઇ જોવા મળી અને 11 નવેમ્બરના રોજ એક શેરની કિંમત (NSE) પર 72.90 રૂપિયા પહોંચ્યો હતો. જો તમે ઓક્ટોબરની તુલના કરો તો શેરમાં લગભગ 127 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
માર્કેટમાં સૌથી વધુ અસ્થિરતા ધરાવતી બેંક
નોંધનીય છે કે, જ્યારે પણ દેશની પ્રખ્યાત ખાનગી બેંકોની વાત થતી, ત્યારે તેમાં યસ બેન્કનું નામ પણ સામેલ હતું. જેની આજે પણ ચર્ચા છે, પરંતુ આ બેંક શેરબજારમાં સૌથી વધુ અસ્થિરતા માટે જાણીતી છે.
ખાનગી ક્ષેત્રની આક્રમક બેંક
યસ બેન્કની ગણતરી આક્રમક ખાનગી ક્ષેત્રની બેંકોમાં થાય છે, જે બજારમાં સરેરાશ દર કરતાં વધુ ચૂકવે છે. ઝડપથી એકાઉન્ટ્સ ખોલો. પરંતુ અચાનક થોડા મહિના પહેલા બેંકે ઘટાડા પર આધિપત્ય બનાવ્યું હતું અને રોકાણકારો કંઈપણ સમજી શકે તે પહેલાં શેર નબળો પડ્યો હતો.
બેંકના રોકાણકારોના મનમાં ઉઠ્યો સવાલ
દરેક સામાન્ય રોકાણકાર અથવા ગ્રાહકના મનમાં સવાલ એ છે કે યસ બેંકને શું થયું છે? જેના કારણે ઘણા ઉતાર ચઢાવ આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ઓગસ્ટમાં યસ બેન્કનો શેર 404 રૂપિયા પ્રતિ શેરના ભાવે હતો.
15 વર્ષમાં આવ્યા અનેક ચઢાવ-ઉતાર
લગભગ 15 વર્ષ પહેલા શરૂ થયેલી આ બેંક આજે સંકટમાંથી પસાર થઈ રહી છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોમાં યસ બેન્ક સંબંધિત બે સારા સમાચાર આવ્યા, જેના કારણે શેરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ફરી એકવાર રોકાણકારો તેમના પોર્ટફોલિયોમાં યસ બેંક ઉમેરવાનો વિચાર કરી રહ્યા છે.
1 ઓક્ટોબરે યસ બેંકના શેર તૂટી પડ્યા હતા
1 ઓક્ટોબરના રોજ યસ બેંકના શેર 29.05 રૂપિયાના સ્તરે પહોંચ્યા હતા, જોકે તે દિવસે તે 32 રૂપિયા પર બંધ થયો હતો. ત્યારબાદથી આ શેરમાં અત્યાર સુધીમાં લગભગ 127 ટકાનો વધારો થયો છે. અને છેલ્લા એક મહિનામાં આ શેર લગભગ 80 ટકા વળતર આપ્યું છે. સોમવારે યસ બેંકનો શેર 72.90 રૂપિયા પર બંધ રહ્યો હતો.
કેમ બગડી યસ બેંકની હાલત ?
છેલ્લા કેટલાક વર્ષોમાં યસ બેંક એક બાદ નુકસાની ભોગવવાનો વારો આવ્યો. જેમાં સૌથી મોટું નુકસાન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI દ્વારા ભોગવવાનો વારો આવ્યો. ગત વર્ષમાં RBI ને લાગ્યું કે, બેંક પોતાના દેવા અને બેલેન્સશીટમાં કોઇ ગરબડ કરી રહી છે. આરોપ મુજબ, યસ બેંક RBI ને સાચી જાણકારી આપી રહી નથી.
RBI એ દબાણ પૂર્વક યસ બેંકના ચેરમેનને હટાવ્યા
તેનું પરિણામ એ આવ્યું કે, RBI એ યસબેંકના ચેરમેન રાણા કપૂરને પદ પરથી દબાણ પૂર્વક હટાવી દીધા. બેંકના ઇતિહાસમાં પ્રથમ ઘટના હતી કે કોઇ ચેરમેનને આ રીતે ચેરમેન પદેથી હટાવવામાં આવ્યા હોય.