ગુરુવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ યસ બેંક પર મોટી કાર્યવાહી કરી છે. આ અંતર્ગત બેંકના ગ્રાહકો માટે 50 હજાર રૂપિયા ઉપાડવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલે કે ગ્રાહકો એક મહિનામાં તેમના સેવિંગ, કરંટ અને અન્ય ખાતામાંથી ફક્ત 50 હજાર રૂપિયા જ ઉપાડી શકશે.
યસ બેંકના ગ્રાહકો માટે 50 હજાર ઉપાડવાની લિમિટ નક્કી થઈ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ યસ બેંકના બોર્ડે કર્યો ભંગ
યસ બેંકના બોર્ડને પણ RBIએ તોડી દીધું છે
આ સિવાય યસ બેંકના બોર્ડને પણ RBIએ તોડી દીધું છે. બેંક માટે એડમિનિસ્ટ્રેટરની પણ નિમણૂક કરવામાં આવી છે. એવામાં હવે એ સવાલ ઊભો થાય છે કે, કટોકટીની સ્થિતિમાં યસ બેંકના ગ્રાહકો શું કરશે?
5 લાખ રૂપિયા સુધીની છૂટ
હકીકતમાં આરબીઆઈએ ઇમરજન્સી માટે થોડી રાહત આપી છે. યસ બેંકના ગ્રાહકો મેડિકલ ઇમરજન્સી, લગ્ન અને શિક્ષણ ફી જેવી આવશ્યકતાઓ માટે 5 લાખ રૂપિયા ઉપાડી શકે છે. જોકે, આ માટે નક્કર પુરાવા પણ આપવાના રહેશે. આનો અર્થ એ છે કે, જો તમે બેંકમાં રોકડ ઉપાડવા જાઓ છો, તો તમારે પુરાવા સાથે જવું પડશે.
ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકાય?
આરબીઆઈ દ્વારા યસ બેંકની નેટબેંકિંગ અથવા મોબાઇલ બેંકિંગ અંગેકોઈ નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં, તમે પહેલાની જેમ નિશ્ચિત મર્યાદા સાથે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી શકો છો. જોકે, ગુરુવારે યસ બેંક પરની કાર્યવાહી બાદ ટ્રાફિકને કારણે ઓનલાઇન બેંકિંગ અટવાઈ ગઈ હતી. ઓનલાઈન બેંકિંગમાં ઈન્ટરનેટ સ્લો થઈ જવાને કારણે ઘણી પરેશાની થઈ રહી છે, પરંતુ આ આરબીઆઈના કડક વલણનો ભાગ નથી.
શું છે મામલો?
હકીકતમાં, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય સંકટ સાથે ઝઝૂમી રહેલી યસ બેંક પર પ્રતિબંધ મૂકીને તેના ડિરેક્ટર કમિટીને તોડી નાખી છે. આ સિવાય બેંક દ્વારા 50,000 રૂપિયા ઉપાડવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. બેંક માટે એડમિનિસ્ટ્રેટરની પણ નિમણૂક કરવામાં આવી છે.
રિઝર્વ બેંકે જણાવ્યું કે, કેન્દ્રીય બેંક આ નિર્ણય પર આવી છે કે, વિશ્વસનીય પુનરુત્થાન યોજનાનો અભાવ, જાહેર હિત અને બેંકના થાપણદારોના હિતની ગેરહાજરીમાં તેમની સામે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 45 હેઠળ તેની પર પાબંદી લગાવ્યા સિવાય અન્ય કોઈ જ વિકલ્પ નથી.