કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે જે લોનના કારણે યસ બેંકની આ સ્થિતિ થઇ છે તે લોન ત્યારે આપવામાં આવી જ્યારે દેશના પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહ અને નાણામંત્રી પી. ચિદમ્બરમ હતા. પટનામાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે સરકાર પૈસા જમા કરનારાઓને કોઇ નુકસાન થવા દેશે નહીં. કેન્દ્રીય મંત્રીએ આ સંકટ માટે યૂપીએ સરકાર પર આકરા પ્રહાર કર્યાં.
યસ બેંક સંકટ માટે કોંગ્રેસ જવાબદાર
કટ લેવાની ચાલતી હતી સીસ્ટમ
ખાતાધારકોને કોઇ નુકસાન નહી પહોંચે
કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે યસ બેંક મામલે સરકાર કડક કાર્યવાહી કરી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઇંડિયા આ દિશામાં આગળ વધી રહી છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે નાણા મંત્રી નિર્મલા સીતારમણે વિસ્તારથી જણાવ્યું હતું કે જે લોકોના કારણે બેંકની આવી હાલત થઇ છે તે લોન ત્યારે આપવામાં આવી હતી. જ્યારે મનમોહન સિંહ પ્રધાનમંત્રી હતા અને પી. ચિદમ્બરમ નાણામંત્રી હતી.
યૂપીએ સરકાર પર નિશાન સાંધતા કહ્યું કે તે સમયે ફોન બેંકિગ થતું હતું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 'તેમને લોન આપો, તેમને લોન આપો, તેમને લોન આપો અને તેમની પાસેથી કટ કરો, આ જે કટ લેવાની સિસ્ટમ હતી તેના કારણે સંસ્થાઓ પરેશાન રહે છે.' કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમારી સરકાર કાર્યવાહી કરી રહી છે કોઇપણ ખાતાધારકને નુકસાન નહીં પહોંચે.