યસ બેંક સંકટને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકરા પ્રહાર કર્યાં છે. રાહુલ ગાંધીએ આજે ટવિટર માધ્યમથી જણાવ્યું કે યસ બેંક નહીં પરંતુ નરેન્દ્ર મોદી અને તેના આઇડિયાએ દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી નાંખી છે.
યસ બેંક સંકટ પર રાહુલ ગાંધીનો પલટવાર
મોદી અને તેમના વિચારએ અર્થવ્યવસ્થાને બરબાદ કરી
યસ બેંકના કરોડો ગ્રાહક પર છવાયું સંકટ
ઉલ્લેખનીય છે કે યસ બેંક સંકટના કારણે કરોડો ગ્રાહકોની જમા રકમ પર સંકટના વાદળો ઘેરાયાં છે. જેનું મુખ્ય કારણ એ છે કે ગ્રાહકો હવે એક મહિનામાં માત્ર 50 હજાર રૂપિયા જ પોતાના ખાતામાંથી નિકાળી શકશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજરોજ પોતાના ટવિટમાં યસ બેંક સંકટ પર નિશાન સાધતા કહ્યું કે #NoBank કહ્યું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પહેલા પણ અર્થવ્યવસ્થા મામલે મોદી સરકાર પર નિશાન સાધતા રહ્યાં છે અને હવે યસ બેંકના સંકટની સાથે આ હુમલો વધુ ઘેરો બન્યો છે.
ઉલ્લેખનીય છે કે યસ બેંક પર છવાયેલ આર્થિક સંકટની બાદ રિઝર્વ બેંક ઓફ ઇંડિયાએ ક્લિયરન્સને લઇને નિર્દેશ જારી કર્યો છે. જેના હેઠળ યસ બેંકના ગ્રાહક પોતાના ખાતામાંથી માત્ર 50 હજાર રૂપિયાની રકમ ઉપાડી શકશે.
No Yes Bank.
Modi and his ideas have destroyed India’s economy.