પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે યસ બેંક સંકટને લઇને મોદી સરકારને આડે હાથ લીધી છે. ચિદમ્બરમે આરોપ લગાવ્યો છે કે NDA સરકારના સમયગાળામાં બેડ લોનમાં ચાર ગણો વધારો થયો છે. નોટબંધએ પરિસ્થિતને વધુ બગાડી દીધી છે.
જ્યારે બીજી તરફ એઆઇએમઆઇએમ અધ્યક્ષ અસુદ્દીન ઔવેસીએ યસ બેંકના ડાયરેકટરની ધરપકડ કરવાની માગ કરી છે.
યુપીએ સરકારના પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કહ્યું વાસ્તવિક ડેટ હવે ઉપલબ્ધ છે. માર્ચ 2014ના અંતમાં લોન 55,633 કરોડ રૂપિયા હતા, જે માર્ચ 2019ના અંતમાં વધીને 2,41,499 કરોડ રૂપિયા થઇ ગયો છે, માર્ચ 2017ના અંતમાં આ આંકડો 1,48,675 રૂપિયો હતો, જે વધીને માર્ચ 2019ના અંત સુધીમાં 2,41,499 થઇ ગયો. નોટબંધી પછી લોનમાં ઉછાળો જોવા મળ્યો.
શું છે મામલો
દેશની ચોથી સૌથી મોટી ખાનગી બેંક યસ બેંક સંકટમાં છે. સંકટમાંથી બહાર નીકાળવા માટે ગઇકાલે રિઝર્વ બેંક ઓફ ઇંડિયા (RBI) ના કેટલાક પગલાની જાહેરાત કરી તો બેંકના ખાતાધારકોમાં જાણે અફરાતફરી જોવા મળી છે. એક મહીનામાં બેંકમાંથી 50 હજાર રૂપિયાથી વધારે રકમ નિકાળવા પર રોક લગાવી દીધી છે. જેને લઇને ATM પર પૈસા નિકાળવા માટે લાંબી લાઇન જોવા મળી રહી છે.
યસ બેંકના શેરમાં જોવા મળ્યો ઘટાડો
આ વચ્ચે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે કહ્યું કે ખાતાધારકોએ ડરવાની જરૂર નથી. કોઇને નુકસાન નહીં થાય. જો કે આ સમાચાર બાદ દેશમાં Yes બેંકના ATM પર પૈસા નિકાળવા માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.