RBIની યસ બેંકને લઈને જાહેરાત બાદ લોકોમાં ચિંતાનો વધારો થયો છે. ત્યારે હવે યસ બેંકે પોતાના ગ્રાહકોને મોટી રાહત આપી છે. હવે ખાતેદારો કોઇ પણ બેંકના ATMથી પૈસા કાઢી શકશે. યસ બેંક દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું છે જેમાં આ અંગે માહિતી આપવામાં આવી છે.
કોઇપણ ATMથી ખાતેદારો ઉપાડી શકશે પૈસા
બેંકે પહેલા આ સુવિધા પરત લીધી હતી
બેંકે સંસ્થાપક રાણા કપૂરની કરી પૂછપરછ
આર્થિક સંકટથી જજૂમી રહેલ YES બેંકે પહેલા કોઈપણ એટીએમમાંથી પૈસા ઉપાડવાની સુવિધા પોતાના ખાતેદારોથી પરત લઇ લીધી હતી. પરંતુ હવે બેંક તરફથી જાહેર કરવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હવે ગ્રાહક કોઇપણ એટીએમમાંથી પૈસા ઉઠાવી શકે છે.
You can now make withdrawals using your YES BANK Debit Card both at YES BANK and other bank ATMs. Thanks for your patience. @RBI@FinMinIndia
આ પહેલા EDએ મુંબઈમાં યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરની પૂછપરછ કરવા સિવાય પોતાની તપાસ વધારતા ત્રણ દીકરીઓના ઘર પર દરોડા પાડ્યા છે. ઈડીએ શુક્રવારની રાત્રે યસ બેંકના સંસ્થાપકના ઘરે દરોડા પાડ્યા હતા અને મુંબઈમાં તેમના સમુદ્ર મહેલ સ્થિત આવાસ પર પણ રાણાની પૂછપરછ કરવામાં આવી હતી. ઈડીના અધિકારીઓએ કહ્યું કે કપૂર સાથે આખી રાત પૂછપરછ કરવામાં આવી અને વચ્ચે આરામનો કેટલોક સમય આપવામાં આવ્યો.
ભારતીય રિઝર્વ બેંકે 30 દિવસ સુધી યસ બેંક બોર્ડને સસ્પેન્ડ કર્યું છે, જ્યારબાદ હવે ઈડીની કાર્યવાહી સામે આવી છે. આરબીઆઇએ આના માટે એક સંચાલક પણ નિયુક્ત કર્યા છે અને બેંકના ખાતેદારોને એક મહિનામાં માત્ર 50 હજાર રૂપિયા કાઢવાની મંજૂરી છે. પૂર્વ એસબીઆઈ સીએફઓ પ્રશાંત કુમારને યસ બેંકના સંચાલક નિમવામાં આવ્યા છે. યસ બેંકની દેશભરમાં 1000થી વધુ શાખાઓ છે અને 1800થી વધુ એટીએમ છે.