ચોખા આપણા દેશના મહત્વના અનાજ માંથી એક છે જેની દેશભરમાં વ્યાપક રીતે ખેતી કરવામાં આવે છે. અનાજની સાથે જ ચોખાનું અધ્યાત્મિક રૂપથી જોડાયેલું મોટું મહત્વ છે. દરેક પૂજામાં ચોખાને કામમાં લેવામાં આવે છે. શું તમે જાણો છો આ ઉપરાંત ચોખાનું જ્યોતિષીય રૂપથી જોડાયેલું મોટું મહત્વ છે. આજે અમે તમને ચોખાથી જોડાયેલા એવા ઉપાય માટે કહેવા જઇ રહ્યા છીએને જે તમારી ધનથી જોડાયેલી સમસ્યાનઓનું સમાધાન કરી શકે છે. તો ચલો જાણીએ એના ઉપાય માટે.
કોઇ શુભ દિવસે જેમ કે શુક્રવાર અથવા અગિયારસના દિવસે સવારે વહેલા ઊઠો. ન્હાયા બાદ મા મહાલક્ષ્મીજીનો ફોટો અથવા મૂર્તિની સામે તમારું આસન લગાવી દો. હવે કુલ 21 પીળા ચોખા લો અને એને લાલ રંગની રેશમી કપડામાં બાંધીને નાની પોટલી બનાવી લો. આ પોટલીને પૂજા દરમિયાન લક્ષઅમી મા ની સામે રાખી દો.
પૂરીથી વિધિથી લક્ષ્મીજીની પૂજા પૂર્ણ કર્યા બાદ આ પોટલી પોતાના પર્સમાં અથવા ઘરની એ જગ્યા પર રાખી દો જ્યાં રૂપિયા રાખવામાં આવે છે અને ધનની દેવીને એવી પ્રાર્થના કરો કે તમને ક્યારેય કોઇ પૈસાની કમી આવે નહીં એક વાત ધ્યાનમાં રાખો કે પસંદ કરનામાં આવેલા 21 ચોખા અખંડિત હોય.
ચોખાને પીળા કરવા માટે હળદરમાં થોડું પાણી મિક્સ કરો અને એ હળદરને ચોખા પર લગાવીને થોડી વાર સૂકાવા માટે રાખી દો. ત્યારબાદ જ આ ચોખાનો ઉપયોગ પોટલી બનાવવા માટે કરો. માન્યતા છે કે આ ઉપાય કરવાથી થોડા દિવસોમાં જ ધનનો લાભ થાય છે અને સાથે ધનથી જોડાયેલું કોઇ પણ મોટું નુકસાન પણ ટળી જાય છે.