ડાયાબિટીસના દર્દીઓને જ્યારે બ્લડ શુગર લેવલ વધે છે ત્યારે શરીરમાં તમામ પ્રકારની મુશ્કેલીઓ વધવા લાગે છે. જેના ઈશારા ઓળખવા જરૂરી છે.
શું તમારા હાથના નખ પીળા થાય છે?
થઇ જાઓ એલર્ટ, હોઇ શકે આ ગંભીર બિમારીના સંકેત
જો ગંભીર નહીં થાવ તો અન્ય બિમારીઓ ઉભી થઇ શકે
શું ડાયાબિટીસનો સંકેત નખ દ્વારા મળે છે?
ડાયાબિટીસના દર્દીઓનુ જીવન સરળ હોતુ નથી. તેમણે વારંવાર તેમના આરોગ્ય પર ધ્યાન રાખવુ પડે છે. ખાસ કરીને આ વાતનો ખ્યાલ રાખવો પડે છે કે શરીરમાં બ્લડ શુગર લેવલ તો વધી ગયુ નથી ને. શરીરને મળતા ઘણા ઈશારા ગંભીર સ્વાસ્થ્ય તરફ ઈશારો કરે છે, જેને ઓળખવા ખૂબ જ જરૂરી છે, નહીંતર બીજી બિમારીઓ ઉભી થઇ શકે છે. એવુ મનાય છે કે ડાયાબિટીસનો સંકેત આપણા નખ દ્વારા મળે છે.
શું ડાયાબિટીસમાં નખ પીળા થાય છે?
જ્યારે હાથના નખ પીળા થવા લાગે તો અનેક લોકોને આ વાતનો ડર હોય છે કે શું તેમનુુ બ્લડ શુગર લેવલ તો વધી ગયુ નથી ને. મોટાભાગના હેલ્થ નિષ્ણાંત માને છે કે પીળા નખનો ડાયાબિટીસ સાથે કોઈ સીધો સંબંધ નથી અને એવા પરિણામ રિસર્ચમાં પણ સામે આવ્યાં નથી. નખનુ પીળુ પડવુ શરીરની કોઈ બીજી સમસ્યાનો ઈશારો હોઇ શકે છે, જેમાં બેડ કોલેસ્ટ્રોલ અથવા પીળીયાના રોગનો સમાવેશ થાય છે.
કિડનીની બિમારીની કારણે નખ થાય છે પીળા
સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે ડાયાબિટીસના કારણે દર્દીઓને કિડનીની બિમારી પણ થાય છે, ત્યારબાદ એનીમિયા બિમારી થવી નોર્મલ છે. લોહીની કમીને કારણે લોહીનો રંગ બદલીને હળવો પીળો થવા લાગે છે. જો કે, એવુ ખૂબ ઓછુ થાય છે, જ્યારે બ્લડ શુગર લેવલ ખૂબ વધી જાય.
ડાયાબિટીસમાં એનિમિયા કેમ થાય છે?
એનીમિયા એટલેકે શરીરમાં લોહીની ઉણપ, ડાયાબિટીસ દરમ્યાન આવુ થવા પાછળ ઘણા કારણ હોઇ શકે છે. પરંતુ તેનુ સૌથી મોટુ કારણ બ્લડ શુગર લેવલ વધવુ, બ્લડ વેસેલ્સમાં સોઝો અથવા પછી બ્લડ ક્લોટિંગ છે. આ સ્થિતિમાં કિડનીની નસોમાં ચેન્જ થવા લાગે છે. જો કિડની સારી હોય તો રેડ બ્લડ સેલ્સનુ પ્રોડક્શન સારું થાય છે અને એરિથ્રોપિયોટીન નામનુ હોર્મોન રિલીઝ જે બોન મેરો માટે ફાયદાકારક હોય છે. તો કિડનીની બિમારીમાં આ પ્રક્રિયામાં અડચણો આવવા લાગે છે અને તમારી કિડની લોહીને યોગ્ય રીતે ફિલ્ટર કરી શકતી નથી.