ટીવીની જાણીતી એક્ટ્રેસ હિના ખાનના પિતાનું ગઈકાલે મુંબઈમાં નિધન થયું છે. તેઓએ દુનિયાને અલવિદા કહ્યું છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી દરેક ઘરમાં અક્ષરાના નામે જાણીતી બનેલી એક્ટ્રેસના પિતાનું કાર્ડિયાક એરેસ્ટથી નિધન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
જ્યારે હિના ખાનને પિતાના નિધનના સમાચાર મળ્યા કત્યારે તે એક શૂટિંગમાં વ્યસ્ત હતી અને સાથે જ તરત જ મુંબઈની ફ્લાઈટ બુક કરાવીને મુંબઈ આવવા નીકળી હોવાના સમાચાર પણ મળી રહ્યા છે.
હિના તેના પિતા સાથે ખૂબ ક્લોઝ હતી
હિના પોતાના પિતા સાથે ખૂબ જ ક્લોઝ હતી અને સોશ્યલ મીડિયા પર તેમની સાથે તેના અનેક ફોટોઝ અને વીડિયોઝ પણ શેર કરતી રહી હતી. એક્ટ્રેસે પિતાની સાથે શાનદાર બોન્ડિંગ સાથે પિતા અને પુત્રીના સંબંધને સુંદરતાથી દેખાડ્યો હતો.
હિના ખાને નથી કરી આ અંગેની કોઈ જાણકારી શેર
જો કે હિના ખાને પિતાના નિધનને લઈને પોતે કોઈ જાણકારી શેર કરી નથી અને સાથે ન તો તે છેલ્લા 2 દિવસથી સોશ્યલ મીડિયા પર જોવા મળી છે. સામાન્ય રીતે હિના ખાન સોશ્યલ સાઈટ્સ પર એક્ટિવ રહે છે. ઉલ્લેખનીય છે હિના ખાન હાલમાં જ માલદીવ્સમાં રજાઓ એન્જોય કરીને આવી હતી અને આ સમયે પિતાના નિધનના સમાચારથી તે ખૂબ જ દુખી છે. તેના અને પરિવારને માટે આ મુશ્કેલ ઘડી છે.