ભાજપ નેતા અને કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાની પૌત્રીએ સુસાઈડ કરી લીધું છે. બેંગલુરૂમાં આવેલા તેના ફ્લેટમાંથી લટકેલી હાલતમાં તેની ડેડબોડી મળી આવી છે.
ભાજપ નેતા અને કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાની પૌત્રીએ સુસાઈડ કરી લીધું છે. બીએસ યેદિયુરપ્પાની પૌત્રી સૌંદર્યા ખુદ ડોક્ટર હતી અને તેની ઉંમર ફક્ત 30 વર્ષની હતી. શુક્રવારે એટલે કે, 28 જાન્યુઆરીએ તેની ડેડબોડી બેંગલુરૂમાં આવેલા તેના ફ્લેટમાં લટકેલી હાલતમાંથી મળી આવી હતી.
The postmortem of Soundarya, the granddaughter of former Karnataka CM BS Yediyurappa's granddaughter, is underway at Bowring and Lady Curzon Hospital in Bengaluru. She was found hanging at a private apartment in Bengaluru.
હાલમાં યેદિયુરપ્પાની પૌત્રી સૌંદર્યાના શબને ઓટોપ્સી માટે બેંગલુરૂના બોરીંગ એન્ડ લેડી કર્જન હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છએ. સૌંદર્યા પરણેલી છે. તે ચાર મહિનાના બાળકની માતા પણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેનામાં ગર્ભાવસ્થા બાદ થતા ડિપ્રેશનના સાઈન પણ મળ્યા હતાં.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, યેદિયુરપ્પાની પૌત્રી સૌંદર્યાના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. તે યેદિયુરપ્પાની સૌથી મોટી દિકરી પદ્માની દિકરી હતી.
આ મામલે કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેંદ્રએ કહ્યું કે, સૌંદર્યા ગર્ભાવસ્થા બાદ થનારા ડિપ્રેશનો શિકાર હતી. જ્ઞાનેંદ્રએ કહ્યું કે, યેદિયુરપ્પા ખુદ સૌંદર્યાને પોતાની સાથે લઈને આવતા હતા. જેથી તે ખુશ રહે. મંત્રીએ કહ્યું કે, આમા કંઈ પણ સંદિગ્ધ નથી. બધાં તેના ડિપ્રેશન વિશે જાણતા હતાં.
મંત્રીએ જણાવ્યું હતું કે, ભાણેજના આપઘાતના સમાચાર સાંભળીને યેદિયુરપ્પા ખૂબ દુ:ખી છે. તેમણે કહ્યું કે, સૌંદર્યાના પતિ ખૂબ જ સારા છે. આ બંને સાથે તેઓ મળ્યા પણ હતાં.