કર્ણાટકમાં સોમવારે મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પા વિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. આ પહેલા રવિવારે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની બેઠક યોજાઇ અને વિશ્વાસનો મત લઇને રણનીતિ બનાવવામાં આવી છે. ત્યારબાદ ભાજપે કહ્યું કે,105 ધારાસભ્યો અમારી સાથે છે. સોમવારે અમે બહુમતિ સાબિત કરીશું.
ધારાસભ્ય દળની બેઠક બાદ ભાજપ નેતા રવિ કુમારે કહ્યું નક્કી જ છે કે મુખ્મમંત્રી યેદિયુરપ્પા સોમવારે કર્ણાટક વિધાનસભામાં બહુમતિ સાબિત કરશે.
Karnataka CM BS Yediyurappa: BJP legislature party meeting was held today, we discussed tomorrow's programme in the Assembly in detail. I'm going to move a confidence motion tomorrow, afterwards I'll introduce Finance Bill. I think both Congress & JD(S) are going to support it. pic.twitter.com/hIfDpndFxN
આ સાથે જ તેમણે કહ્યું કે પાર્ટીના બળવાખોર ધારાસભ્યોનના કાયદાની લડાઇમાં અમે તેમની સાથે છીએ. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે રવિ કુમારે કહ્યું કે જો JDS ભાજપને સમર્થન આપે છે અને તેને લઇને સ્ટેન્ડ ક્લિયર કરે છે તો પાર્ટી તે વિષય પર વિચાર કરશે.
સ્પીકરે 14 બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ્દ કરી
કર્ણાટકમાં રવિવારે તમામ 14 બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ્દ કરાઇ. સ્પીકર કે આર રમેશ કુમારે કોંગ્રેસના 11 બળવાખોર ધારાસભ્યો અને જેડીએસના 3 બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ્દ કરવાનું એલાન કર્યું. બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ્દ કરવાના નિર્ણય બાદ સ્પીકર રમેશ કુમારે કહ્યું કે મેં કોઇ ચાલાકી કે ડ્રામા નથી કર્યો, યોગ્ય રીતે નિર્ણય લીધો છે.
સ્પીકર કે આર રમેશ કુમારે કોંગ્રેસના બેરાઠી બસવરાજ, મુનિરત્ન, એસટી સોમેશેખર, રોશન બેગ, આનંદ સિંહ, એમટીબી નાગરાજ, બીસી પાટિલ, પ્રતાપ ગૌડા પાટિલ, ડૉ. સુધાકર, શિવરામ હેબ્બાર, શ્રીમંત પાટિલને અયોગ્ય કરાર આપ્યા. આ ઉપરાંત જેડીએસના ત્રણ બળવાખોર ધારાસભ્યો કે.ગોપાલૈયા, નારાયણ ગૌડા, એ એચ વિશ્વનાથને અયોગ્ય ઠેરવ્યા.
આ પહેલા કર્ણાટકના સ્પીકર કે આર રમેશ કુમારે 3 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા હતા. આજે 14 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા બાદ હવે કુલ મળી 17 ધારાસભ્યોને અયોગ્ય કરાર કરવામાં આવી ચૂક્યા છે. સ્પીકર રમેશ કુમારના આ નિર્ણય બાદ વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 207 બચી છે. એટલે કે બહુમત માટે 105 જાદુઇ આંકડો રહેશે.