કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે, ભાજપના પ્રમુખ યેદીયુરપ્પાએ કહ્યું છે કે તેઓ સદનમાં શક્તિ પરીક્ષણ માટે તૈયાર છે. યેદીયુરપ્પાએ કહ્યું કે જો સરકાર વિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માંગે છે તો તેમને કોઈ વાંધો નથી. કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ સોમવાર સુધી રાહ જોશે. તેમણે કહ્યું કે સોમવારે, સ્પીકરને મળી અને તેમને સોમવારે જ વિશ્વાસનો મત લાવવા માટે કહેશે.
BS Yeddyurappa, BJP state president: We have no objection to No Confidence Motion. We will wait until Monday. On Monday, we are ready to face the No Confidence Motion. #Karnatakapic.twitter.com/Ws6jXTPHnv
આપને જણાવી દઇએ કે, કર્ણાટકના મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામીએ પણ કહ્યું છે કે તેમની સરકારને કોઈ જોખમ નથી, તે વિશ્વાસનો મત લાવશે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ સ્વીકાર્યું કે તેઓ મુંબઇમાં હાજર કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોના સંપર્કમાં છે, તેઓ બધા ખુશ છે. યેદીયુરપ્પાએ જણાવ્યું હતું કે એચડી કુમારસાસ્વામીએ તાત્કાલિક અસરથી રાજીનામું આપવું જોઈએ અને નવી સરકારની રચના કરવા દેવી જોઈએ, લોકો આ સરકારથી કંટાળી ગયા છે.
કર્ણાટકના ધારાસભ્યો પહોંચ્યા સુપ્રીમ કોર્ટમાં
કર્ણાટકના કોંગ્રેસ અને જેડીએસના બળવો કરનાર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. સુપ્રીમ કોર્ટમાં બળવો કરનાર ધારાસભ્યોએ કહ્યું કે તે આ મામલાની સુનાવણી આજે અથવા કાલે થાય તેમ ઇચ્છે છે. મામલાની સુનાવણી દરમિયાન બળવો કરનાર ધારાસભ્યોની તરફથી વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે સ્પીકર પોતાના દાયિત્વનું પાલ નહીં કરી રહ્યા. કર્ણાટકમાં આ સમયે અજીબ સ્થિતિ છે.
અમારે જનતા પાસે ફરીવાર જવાનું છે. સુપ્રીમ કોર્ટમાં બળવો કરનાર ધારાસભ્યોએ કહ્યું કે તે મામલાની સુનાવણી આજે અથવા કાલે ઇચ્છે છે. ચીફ જસ્ટિસે કહ્યું કે અમે જોઇશું કે ક્યારે સુનાવણી કરવામાં આવે છે.
કર્ણાટકની રાજનીતિમાં ચાલી રહ્યો છે 'ડ્રામા'
આપને જણાવીએ કે, કર્ણાટકની રાજનીતિમાં ઘમાસાણ મચ્યુ છે. કર્ણાટકના કોંગ્રેસના મંત્રી ડી કે શિવકુમાર (D K Shivakumar) અને જેડીએસ ધારાસભ્યો શિવાલિંગે ગૌડા (Shivalinge Gowda) બુધવારે સ્પેશિયલ ફ્લાઇટથી બેંગાલુરુથી મુંબઇ પહોંચ્યા હતા. બંને નેતા ધારાસભ્યો સાથે મુલાકાત કરવા મુંબઇ પહોંચ્યા હતા. જોકે મુંબઇની જે હોટલમાં ધારાસભ્યો રોકાયા હતા ત્યા સુરક્ષા વધારી દેવાઇ છે.
બીજી તરફ શિવકુમારે એએનઆઇને કહ્યું કે, 'મુંબઇ પુલિસ અને બાકી દળોને તૈનાત થવા દેવાય, તેમને ડ્યૂટી કરવા દેવાય. અમે અમારા મિત્રોને મળવા આવ્યા છીએ. રાજનીતિમાં અમારો જન્મ સાથે થયો હતો અને રાજનીતિમાં અમે સાથે જ મરીશું. એ અમારી પાર્ટીના સભ્યો છે. અમે તેમને મળવા આવ્યા છીએ'.