ઐતિહાસિક મહત્વ ધરાવતી મીઠાની ખેપ આઝાદી બાદથી બ્રિટન સાથે બંધ થઇ ગઇ હતી. આંતરાષ્ટ્રીય માપદંડોના પગલે અત્યાર સુધી કચ્છમાંથી મીઠું એક્સપોર્ટ થતું ન હતું. પરંતુ હવે વર્ષો બાદ બ્રિટનના લોકો પણ કચ્છના મીઠાનો સ્વાદ ચાખશે.
આઝાદી બાદ પ્રથમ વખત નિકાસ
10 ટન મીઠું પહોંચ્યું બ્રિટન
આગામી નિકાસ વધવાની શક્યતા
ભારતમાં મીઠા પર અંગ્રેજોએ કર નાખતા છેડાયેલા આંદોલનની ચીનગારી પછી પ્રસરી ચુકેલા સ્વતંત્રતા આંદોલન દ્વારા દેશને આઝાદી મળી હતી. ત્યારબાદથી સમગ્ર વિશ્વમાં બ્રિટન સિવાય અત્યાર સુધી કેટલાક માપદંડોના કારણે મીઠાની નિકાસ ન હતી થતી, પરંતુ દેશમાં કંડલાથી નિકાસ બ્રિટન માટે સંભવત પ્રથમ જથ્થો પહોંચ્યો હતો. કુદરતી સંશાધનોથી પ્રાપ્ત મીઠા પર મોટી સંખ્યામાં લોકોની રોજગારી જોડાયેલી છે ત્યારે 1930માં જ્યારે અંગ્રેજ સરકારે ભારતના મીઠા પર કર નાખ્યો હતો. ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સાબરમતીથી દાંડી સુધીની પગપાળા યાત્રા કરીને આ કાળા કાયદાનો ભંગ કર્યો હતો.
ઐતિહાસિક મહત્વ ધરાવતી આ યાત્રાનું કારક રહેલા મીઠાની ખેપ આઝાદી બાદથી બ્રિટનમાં બંધ થઈ હતી. જેની પાછળ આંતરાષ્ટ્રીય માનકો કારણભુત હતા. પરંતુ આટલા સમય બાદ કંડલાથી વધુ એક વાર મીઠાનું એક્સપોર્ટ બ્રિટનમાં થતા અંગ્રેજોએ દશકાઓ બાદ ભારત અને કચ્છનું મીઠું ચાખસે.
અત્યાર સુધીના ઘણા પ્રયાસો કરાયા પરંતુ ઉચ્ચ માનકોના કારણે તે સંભવ બનતું નહતું. હવે આપણે આંતરાષ્ટ્રીયકક્ષાની ગુણવતાને પાર કરતી ગુણવતાને જાળવતા આ શક્ય બન્યું છે. પ્રથમ નિકાસમાં 10 ટન જેટલો જથ્થો પહોંચી ચુક્યો છે અને આગળ પણ નિકાસ થતી રહેશે. જેના કારણે દેશના વિદેશી હુંડીયામણમાં પણ વ્રુદ્ધી શક્ય બનશે.
અહિ નોંધવુ રહ્યુ કે માત્ર કચ્છમાંથી સમગ્ર દેશની ખપતમાં લેવાતુ 70%થી વધુ મીઠુ ઉત્પાદન કરાય છે. તેમજ આફ્રિકા, મલેશિયા, ગલ્ફ દેશો સહિતના સ્થળોએ તેની મોટા પાયે નિકાસ પણ થાય છે.