દુનિયામાં હજી પણ માનવતા હયાત છે. લોકો ગમે તેટલા સ્વાર્થી અને મતલબી થઇ જાય. પરંતુ દુનિયામાં એવા પ્રામાણિક લોકો પણ છે, જે વચન અને ઉપકારોને યાદ રાખે છે. આવુ જ કંઈક અમેરિકાથી પાછા આવેલા એક એનઆરઆઈ ભાઈ-બહેનોની સાથે થયુ. જેઓએ 12 વર્ષ પહેલા ઉધાર લીધેલી મગફળીના પૈસા અનેકગણા વધુ આપ્યાં.
સ્વાર્થની દુનિયામાં પ્રામાણિક માણસો પણ હયાત
એક શખ્સે 12 વર્ષ પહેલા લીધેલી મગફળીના પૈસા અનેકગણા ચૂકવ્યાં
25 રૂપિયાની મગફળીના રૂ. 25 હજાર ચૂકવ્યાં
પ્રામાણિકતા અને માનવતાનો કિસ્સો સો. મીડિયામાં વાયરલ
પ્રામાણિકતા અને માનવતાનો આ કિસ્સો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વર્ષ 2010માં મોહન નામનો NRI પોતાના બે બાળકોની સાથે આંધ્ર પ્રદેશના કોથાવલ્લી બીચ પર ફરવા ગયો હતો. બાળકોની માગ પર મોહને 25 રૂપિયાની મગફળી ખરીદી હતી. પરંતુ તે પાકીટ હોટલમાં ભૂલી જવાના કારણે મગફળીના માલિકને પૈસા આપી શક્યો નહતો ત્યારે સતૈયા નામના આ મગફળી વેચતા માલિકે ઉદારતા બતાવી હતી અને તેણે કહ્યું કે આ મગફળી એમનેમ લઇ જાઓ. પરંતુ મોહને કહ્યું કે આ ઉધાર રહેશે ત્યારે મોહને સતૈયાની એક તસ્વીર પણ ખેંચી હતી.
11 વર્ષ બાદ મગફળી વેચનારા માલિકને પૈસા આપ્યાં
પછી મોહન બાળકોની સાથે અમેરિકા પાછો આવ્યો. 11 વર્ષ બાદ મોહનના બાળકો નેમાની પ્રણબ અને શુચિતા ફરીથી ભારત આવ્યાં અને તેમણે મગફળી વેચનારા માલિક સતૈયાને શોધ્યો. કારણકે તેમને તેના પૈસા પાછા આપવાના હતા. પરંતુ સતૈયા મળ્યો નહીં. પછી તેમણે શહેરના ધારાસભ્યની મદદ લીધી. જેણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર 12 વર્ષ પહેલાં ખેંચેલી સતૈયાની તસ્વીર મુકીને સતૈયાને શોધવા માટે લોકો પાસે મદદ માંગી.
સતૈયાનું ઘર મળ્યું. કમનસીબી કે સતૈયા તો રહ્યો નથી. પરંતુ મોહનના બાળકોએ તેના પરિવારને પૈસા આપી દીધા. મોહનના દીકરાએ 12 વર્ષ પહેલાં ઉધાર 25 રૂપિયાના બદલે આખા પરિવારને 25 હજાર રૂપિયા આપ્યાં. સતૈયાની ઉદારતા અને મોહનની પ્રામાણિકતાની ચર્ચા સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે અને ધારાસભ્યની પોસ્ટ પર લોકો કોમેન્ટ પણ કરી રહ્યાં છે.