વર્ષ 2019માં મંદીએ પોતાની અસર દાખવી છે. જેમાં ઘણા લોકોની નોકરી સંકટમાં મુકાઈ. ઓક્ટોબરમાં તો બેરોજગારી દર ત્રણ વર્ષનાં ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. છ વર્ષમાં આ વર્ષે સૌથી ઓછા લોકોને નોકરી મળી. પ્રાઇવેટ અને સરકારી નોકરીમાં ઘટાડો જોવા મળ્યો હતો. સરકાર મેક ઇન ઇન્ડિયાનાં વાયદા કરે છે છતાં નોકરીઓના કોઈ ઠેકાણા નથી. પ્રાઈવેટ ક્ષેત્રમાં આ વર્ષે 45 લાખ લોકોને નોકરી મળી.
સરકારી ક્ષેત્રમાં નોકરી આપવામાં સતત ઘટાડો નોકરી આપવામાં
ટાટા કન્સલ્ટેન્સી 4 લાખ 20 હજાર કર્મચારીઓ સાથે પ્રથમ નંબરે
ઓક્ટોબરમાં બેરોજગારી દર 8.5 ટકા
ત્રિપુરામાં બેરોજગારી દર 23.3 ટકા
દેશમાં ટોપ 250 નોંધાયેલી કંપનીઓમાં એક વર્ષમાં સૌથી રોજગારી આપવામાં આવી. એક અહેવાલ મુજબ આ વર્ષે સરકારી કંપની અને બેંકમાં નોકરીનાં દરમાં 2.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં લોકોને નોકરી આપવામાં સરકારી ક્ષેત્રમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. કૉલ ઈન્ડિયા અને સ્ટેટ બેંકમાં નોકરીમાં અનુક્રમે 4.4 ટકા અને 2.6 ટકાનો ઘટાડો આવ્યો છે.
ઈન્ફોસીસમાં 37 ટકા કર્મચારી મહિલા
જો નોંધાયેલી કંપનીઓની વાત કરીએ તો સૌથી વધુ આ ક્ષેત્રમાં જ નોકરીઓનું સર્જન થયું છે તેમાં પણ ટાટા કન્સલ્ટેન્સીમાં સૌથી વધુ કર્મચારીઓને જોબ આપવામાં આવી છે. આ કંપની અત્યારે 4 લાખ 20 હજાર કર્મચારીઓ સાથે પ્રથમ નંબરે છે. મહિલા કર્મચારીઓની સંખ્યા 1 લાખ 52 હજારથી વધારે છે. જોકે મહિલાઓની સૌથી વધુ સંખ્યા ઈન્ફોસીસમાં છે, જેમાં 37 ટકા કર્મચારી મહિલા છે.
રેટિંગ એજન્સીઓ દ્વારા દેશની વિકાસ દર ઓછી કરવામાં આવી
ભારતની અર્થવ્યવસ્થા મુદ્દે દેશભરનાં અર્થશાસ્ત્રી, રાજનેતાઓએ ચિંતા વ્યક્ત કરી છે. રેટિંગ એજન્સીઓ દ્વારા દેશની વિકાસ દર ઓછી કરવામાં આવી રહી છે ત્યારે ઓક્ટોબરમાં દેશમાં બેરોજગારી દર સૌથી ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું હતું. સેન્ટર ફોર મોનીટરીંગ ઈન્ડીયન ઈકોનોમીનાં આંકડા મુજબ ઓક્ટોબરમાં બેરોજગારી દર 8.5 ટકા હતો.
2011-12થી 2017-18 દરમિયાન 90 લાખ લોકોએ નોકરી ગુમાવી
નવેમ્બરમાં અઝીમ પ્રેમજી વિશ્વવિદ્યાલય અને સેન્ટર ફોર સસ્ટેનેબલ એમ્પ્લોયમેન્ટની રીપોર્ટ મુજબ આ વર્ષે પાછલાં છ વર્ષ કરતા સૌથી ઓછી નોકરી આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે 2011-12થી 2017-18 દરમિયાન 90 લાખ લોકોએ નોકરી ગુમાવી દીધી.સૌથી ખરાબ હાલત ત્રિપુરા, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં જોવા મળી હતી. ત્રિપુરામાં બેરોજગારી દર 23.3 ટકા છે.