દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે 2020નું વર્ષ તેમના જીવનમાં ખુશીઓ અને ઉમંગની લહેર લઈને આવે. કોઈ કરિયરમાં પ્રગતિ ઇચ્છે છે તો કોઈ લાઈફસ્ટાઈલને સારી કરવા ઈચ્છે છે. રાશિ અનુસાર લકી રત્ન પહેરવાથી તમારું ભાગ્ય ચમકી શકે છે. જાણો કઈ રાશિ કયું રત્ન પહેરશે તો તમારી રાશિ અનુસાર શુભ ફળ મળી શકશે.
મેષ
તમારા માટે આ વર્ષે પીળો પોખરાજ પહેરવાનું લાભદાયી રહેશે. આ વર્ષે ગોમેદ કે હીરો ધારણ ન કરવો. વીંટીમાં પીળો પોખરાજ પહેરવાથી તમે દરેક સંકટને દૂર કરી શકો છો.
વૃષભ
જાન્યુઆરી પછી તમે એક નીલમનો રત્ન ધારણ કરી શકો છો. આ વર્ષે મોતી કે હીરાને ધારણ ન કરો. મોતી કે હીરો 2020માં તમને આર્થિક અને સ્વાસ્થ્ય સંબંધી તકલીફ આપી શકે છે.
મિથુન
આ વર્ષે તમે એક ઓપલ જરૂર ધારણ કરો. જો નીલમ ધારણ કરવો હોય તો વિચારીને પહેરો. નીલમને જાણકારી વિના ધારણ કરવાથી તમને નુકસાન થઈ શકે છે.
કર્ક
આ વર્ષે તમે એક દેશી મૂંગાનું રત્ન ધારણ કરો. સાથે એક મોતી પણ પહેરો. તે તમારા માટે ફળદાયી રહેશે. મોતીનું નેકલેસ કે વીંટી ધારણ કરવાથી ભાગ્યોદય થશે.
સિંહ
આ વર્ષે એક માણેક ધારણ કરવાનું લાભદાયી માનવામાં આવે છે. સાથે સૂર્યને જળ અર્પણ કરવાથી પણ લાભ થશે. માણેકને વીંટીમાં ધારણ કરીને પહેરવાથી તમે ચિંતાથી દૂર રહી શકો છો. આ સાથે જ તમારા ઘરમાં આનંદની લહેર પણ આવી શકે છે.
તુલા
આ વર્ષે સલાહ લઈને એક નીલમ ધારણ કરો. સાથે જ નિયમિત રીતે શનિની પૂજા કરો. તુલા રાશિને માટે નીલમ 2020માં શુભ રહેશે. કોઈ પણ કામને હાથમાં લેવાથી તમને સફળતા મળશે.
વૃશ્વિક
આ વર્ષે પીળો પોખરાજ ધારણ કરવાનું શુભ રહેશે. સાથે એક લોખંડનું કિચન પણ રાખો. તે તમારા માટે ફળદાયી નીવડશે.
ધન
આ વર્ષે એક મૂંગા રત્ન ધારણ કરવાનું ભાગ્યશાળી રહેશે. સાથે એક માણેક ધારણ કરો તો ઉત્તમ છે. મૂંગા તમને આર્થિક લાભ આપશે અને માણેક ઘરમાં સુખ શાંતિ બનાવી રાખશે.
મકર
આ વર્ષ એક નીલમ કોઈની સલાહ લઈને ધારણ કરો. સાથે જ શનિદેવની ઉપાસના જરૂર કરો. નોકરી ધંધો અને વ્યાપારી વર્ગને માટે નીલમ પહેરવો લાભદાયી છે.
કુંભ
આ વર્ષે એક ઓપલ ધારણ કરો. ભૂલથી પણ લાલ રંગનું રત્ન ધારણ ન કરો. લાલ રંગનું રત્ન તમારી સફળતા પર અંકુશ લગાવી શકે છે.
મીન
આ વર્ષે એક મોતી ધારણ કરવાનું શુભ રહેશે. આ વર્ષે પન્નાનું રત્ન ધારણ કરો. મોતી ધારણ કરવાથી તમારા પરિવારમાં સુખનો ઉદય થશે અને સમસ્યામાં રાહત આવતા મનોકામના પૂરી થશે.