યુપીના સીએમ યોગી આદિત્યનાથે શનિવારે સાંજે નવો આદેશ જારી કરીને કાંવડ યાત્રા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. કોરોના મહામારીની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવાયો છે.
યુપીમાં કાંવડ યાત્રા પર પ્રતિબંધ
ત્રીજી લહેરને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવાયો
યુપીના સીએમ યોગી આદિત્યનાથે આદેશ જારી કર્યો
કાંવડ યાત્રા ચાલુ રાખવાના યોગી સરકારના નિર્ણયની સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી હતી અને સુપ્રીમે યોગી સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. આ મામલે યોગી આદિત્યનાતે કહ્યું કે કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીનેજ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ તેમણે યાત્રામાં જોડાનાર લોકોનો RT-PCR રિપોર્ટ પણ નેગેટિવ હોવો જોઈએ તેવા પણ આદેશ આપ્યા હતા. પરંતુ હવે સરકારે કાંવડ યાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ઉત્તરાખંડ અને ઓડિશા સરકારે કાંવડ યાત્રા પર રોક લગાવી
કોરોનાની ત્રીજી લહેરના કારણે ઉત્તરાખંડ અને ઓડિશા સરકારે કાંવડ યાત્રા પર રોક લગાવી દીધી છે. પણ ઉત્તર પ્રદેશમાં કાંવડયાત્રાને મંજૂરી મળતા આ સમગ્ર મામલો હવે સુપ્રીમકોર્ટમાં પહોંચી ગયો છે. જાણો સુપ્રીમ કોર્ટ દ્વારા કોરોના કાળમા સરકાર પર કેટલી વાર નિર્ણયને લઈ સખ્તાઈ કરવામાં આવી.
સુપ્રીમ કોર્ટે, કેન્દ્ર, ઉત્તરાખંડ, અને ઉત્તરપ્રદેશ સરકાર પાસે કાંવડ યાત્રાને લઈ જવાબ માંગ્યો હતો
કોરોના સંકટકાળમાં કાંવડયાત્રાને લઈ સુપ્રીમ કોર્ટે પોતે જ UP સરકાર પાસેથી 16 જુલાઇ સુધીમાં જવાબ માંગ્યો હતો, તેની સુનવણી આજે થશે. UP સરકારના પ્રવકતાનું કહેવું છે કે સરકાર કહી ચૂકી છે કે UP માં કાંવડયાત્રા નીકળશે, જેમાં કોરોનાના પ્રોટોકોલ, સોશિયલ ડિસટન્સ, માસ્ક, RT-PCR ટેસ્ટ આ બધાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવશે. પણ આવી જ વાતો ચૂંટણી રેલીઓમાં, કુંભ મેળામાં પણ કરવામાં આવી હતી. પણ શું કોરોના સંક્રમણ વિના આ પ્રકારના આયોજન થયા છે ખરી? એટલે જ સુપ્રીમ કોર્ટે, કેન્દ્ર, ઉત્તરાખંડ, અને ઉત્તરપ્રદેશ સરકાર પાસે કાંવડ યાત્રાને લઈ જવાબ માંગ્યો છે.