કાશ્મીરી અલગાવવાદી નેતા યાસીન મલિક ટેરર ફંડિંગમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. NIA કોર્ટે યાસીન મલિકને દોષિત ગણાવ્યો છે. જો કે હજી સજાની સુનાવણી કરવામાં આવી નથી. આગામી 25મેના રોજ સજાનું એલાન કરવામાં આવશે. મહત્વનું છે કે યાસીન કબૂલી ચૂક્યો છે કે તે કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો.
યાસીન મલિકે કરી કબૂલાત
ઉલ્લેખનીય છે કે યાસીને કબૂલ્યુ હતું કે તે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. તેણે ગુનાહિત કાવતરુ પણ ઘડ્યું હતું. તેના પર રાજદ્રોહની કલમ પણ સાચી છે. યાસીન પર UAPA હેઠળ જે કલમો લગાવવામાં આવી છે તેનો પણ તેણે સ્વીકાર કર્યો હતો.
एनआईए अदालत ने टेरर फंडिंग मामले में अलगाववादी यासीन मलिक को दोषी ठहराया।
યાસીન મલિકે કોર્ટમાં જણાવ્યું કે તે UAPA ની કલમ 16 (આતંકવાદી પ્રવૃત્તિ), 17 (આતંકવાદી પ્રવૃત્તિ માટે ભંડોળ એકત્ર કરવા), 18 (આતંકવાદી કૃત્ય કરવાનું કાવતરું), અને 20 (આતંકવાદી જૂથ અથવા સંગઠનનો સભ્ય હોવા) અને ભારતીય દંડ સંહિતા કલમ 120-બી તેમજ 124-એ હેઠળ પોતાના પર લાગેલા આરોપોને પડકારવા માગતો નથી.
થઇ શકે છે આજીવન કેદ
સજાની હજી સુનાવણી થઇ નથી પરંતુ જે કલમો લગાવવામાં આવી છે તે જોતા આજીવન કેદની મહત્તમ સજા થઇ શકે છે. યાસીન મલિક કાશ્મીરના રાજકારણમાં સક્રિય છે. યુવાનોને ઉશ્કેરવામાં તેનો મહત્વનો હાથ માનવામાં આવે છે.યાસીન મલિક જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) સાથે સંકળાયેલો છે. 2019 માં, કેન્દ્ર સરકારે JKLF પર પ્રતિબંધ મૂક્યો હતો. હાલ તે તિહાર જેલમાં બંધ છે. યાસીન મલિક પર 1990માં એરફોર્સના 4 જવાનોની હત્યા કરવાનો આરોપ છે, જે તેણે કબૂલ્યું હતું. તેના પર મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબિયા સઈદનું અપહરણ કરવાનો આરોપ છે. મલિક પર 2017માં કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદી ગતિવિધિઓને અંજામ આપવા જેવા તમામ ગંભીર આરોપો છે.