વિપક્ષે રાષ્ટ્રપતિના પદના ઉમેદવાર તરીકે ટીએમસીના પૂર્વ નેતા અને પૂર્વ નાણા મંત્રી યશવંત સિંહાનું નામ જાહેર કર્યું છે.
વિપક્ષે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યાં
યશવંત સિંહા બન્યાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
યશવંતસિંહાના નામ પર 19 વિપક્ષી દળોની સહમતી
સત્તા પક્ષના ઉમેદવાર સામે ટકરાશે યશવંત સિંહા
સંયુક્ત વિપક્ષને આખરે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મળી ગયા છે. દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ યોજાવાની છે, પરંતુ બધાની નજર રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો પર છે. વિપક્ષે યશવંત સિંહાની સર્વાનુમતે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યાં છે. વિપક્ષની આજે મળેલી બેઠકમાં યશવંત સિંહાને સર્વાનુમતે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ચૂંટી કાઢવામાં આવ્યાં હતા. યશવંત સિંહા 27 જૂનના સવારના 11.30 વાગ્યે રાષ્ટ્રપતિ પદ માટે નામાંકન દાખલ કરશે. વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા બાદ બંગાળના સીએમ મમતા બેનરજીએ યશવંત સિંહાને અભિનંદન પાઠવ્યાં હતા.
Delhi | We are going to file the nomination for the Presidential elections on 27th June at 11.30 am:NCP chief Sharad Pawar at Opposition meet
Former union minister Yashwant Sinha has been chosen as consensus candidate from the Joint Opposition for upcoming Presidential elections pic.twitter.com/xDrRhF7NTz
સંયુક્ત વિપક્ષ દ્વારા એક નિવેદનમાં બહાર પાડવામાં આવ્યું હતું જેમાં એવું જણાવાયું હતું કે અમે ભાજપ અને તેના સાથી પક્ષોને અપીલ કરીએ છીએ કે રાષ્ટ્રપતિ તરીકે યશવંત સિંહાને ટેકો આપો જેથી કરીને આપણને એક નોંધપાત્ર રાષ્ટ્રપતિ મળે.
મોદી સરકારે રાષ્ટ્રપતિ ઉમેદવાર પર સર્વસંમતિ ન સાધી
વિપક્ષે તેના સંયુક્ત નિવેદનમાં એવું પણ જણાવ્યું કે અમને ખેદ છે કે મોદી સરકારે રાષ્ટ્રપતિ ઉમેદવાર પર સર્વસંમતિ સાધવાનો કોઈ ગંભીર પ્રયાસ કર્યો નથી. સરકાર આ મુદ્દે સર્વસંમતિ સાધવાની જરુર હતી
Yashwant Sinha unanimously chosen as common candidate of opposition parties for presidential election: joint statement
આ બેઠકમાં ભાગ લેતા પહેલા યશવંત સિન્હાએ ટ્વીટ કર્યું, "TMCમાં મને જે સન્માન અને સન્માન આપ્યું છે તે માટે હું મમતા બેનર્જીનો આભારી છું. હવે સમય છે જ્યારે, એક વિશાળ રાષ્ટ્રીય હેતુ માટે, મારે પક્ષથી દૂર જવું જોઈએ અને વિપક્ષી એકતા માટે કામ કરવું જોઈએ. મને ખાતરી છે કે પાર્ટી મારા આ પગલાને સ્વીકારશે. TMCમાં આજે મળનારી વિપક્ષની બેઠકમાં રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર તરીકે યશવંત સિન્હાના નામનો પ્રસ્તાવ મૂકશે. જાણકારી મુજબ તૃણમૂલ કોંગ્રેસના ટોચના નેતાઓ દ્વારા આ મામલે ચર્ચા કર્યા બાદ સિન્હાએ આ પ્રસ્તાવ પર સહમતિ વ્યક્ત કરી છે.
યશવંત સિન્હાએ ટીએમસીમાંથી આપ્યું રાજીનામું
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર થતા પહેલા યશવંત સિંહાએ ટીએમસીમાંથી રાજીનામું આપ્યું હતું.યશવંત સિન્હાએ બેઠક પહેલા ટ્વીટ કરીને મોટા રાષ્ટ્રીય કારણોથી પાર્ટીના કામથી હટી જવાની જાહેરાત કરી હતી.શરદ પવાર, ફારૂક અબ્દુલ્લા અને ગોપાલ કૃષ્ણ ગાંધીએ વિપક્ષની ઓફર ઠુકરાવી દીધી છે. મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલ કૃષ્ણ ગાંધીએ સોમવારે રાષ્ટ્રપતિ પદ માટે પોતાનું નામ સૂચવવા બદલ વિપક્ષી નેતાઓનો આભાર માનતા ચૂંટણી ન લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આવી સ્થિતિમાં હવે વિપક્ષ યશવંત સિન્હાને મેદાનમાં ઉતારી શકે છે.
Unity of oppn parties forged for presidential poll will be further consolidated in months ahead: joint statement
NCP પ્રમુખ શરદ પવારે રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને વિપક્ષીદળોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં AIMIM વિપક્ષીદળો સાથે બેઠકમાં જોડાશે. જ્યારે શિરોમણી અકાળી દળ, YSR સહિત દળો ગેરહાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 15 જૂને પણ CM મમતા બેનર્જીની આગેવાનીમાં વિપક્ષાદળોની બેઠક મળી હતી જેમાં CM મમતા બેનર્જીએ AIMIMને આમંત્રણ નહોતું આપ્યું.