ગયા વર્ષે કોરોના વાયરસને કારણે સિનેમા પ્રેમીઓ થિએટરમાં ફિલ્મોનો આનંદ ઉઠાવી શક્યા નહીં. પરંતુ હવે ફેન્સ માટે સારાં સમાચાર છે. આ પાંચ મોટી ફિલ્મો થિએટરમાં થશે રિલીઝ.
કોરોનાને કારણે ગયા વર્ષે લોકો થિએટરમાં ફિલ્મો જોઈ શક્યા નહીં
હવે આ પાંચ મોટી ફિલ્મો થિએટરમાં થશે રિલીઝ
યશરાઝ ફિલ્મ્સે કરી આ જાહેરાત
હવે થિએટર પ્રેમીઓની પ્રતીક્ષાનો અંત આવી ગયો છે. યશરાજ ફિલ્મ્સે તેની પાંચ મોટી ફિલ્મોની રિલીઝ ડેટ જાહેર કરી છે. યશરાજ ફિલ્મ્સ તરફથી સૂચના જારી કરીને પાંચ ફિલ્મોની રિલીઝ ડેટ જણાવી છે. પોસ્ટમાં લખ્યું છે- યશરાજ ફિલ્મ્સે 2021 માટે ફિલ્મો લોક કરી દીધી છે અને કંપની હવે ઓડિયન્સને મોટી સ્ક્રીન પર પાછી લાવવા માટે તૈયારી કરી રહી છે. પાંચ ફિલ્મોની થિએટરમાં રિલીઝની ઘોષણા કરતા યશ રાજ ફિલ્મ્સે ફિલ્મોના નામ અને રિલીઝ ડેટ જારી કરી છે.
સંદીપ અને પિંકી ફરાર 19 માર્ચ 2021એ રિલીઝ થશે. દિબાકર બેનર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અર્જુન કપૂર અને પરિણિતી ચોપડા જોવા મળશે. ફિલ્મ દિબાકર બેનર્જીએ જ પ્રોડ્યૂસ કરી છે.
રણબીર કપૂર, વાણી કપૂર અને સંજય દત્તની મોસ્ટ અવેટેડ ફિલ્મ શરશેરા 25 જૂન 2021એ રિલીઝ માટે તૈયાર છે. કરણ મલ્હોત્રાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને આદિત્ય ચોપડા અને યશ રાજ ફિલ્મ્સએ પ્રોડ્યૂસ કરી છે.
જયેશભાઈ જોરદાર
રણવીર સિંહની ફિલ્મ જયેશભાઇ જોરદારને લઈને ઘણો જ બઝ બનેલો હતો. આ ફિલ્મ 27 ઓગસ્ટ 2021ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં શાલિની પાંડે, બોમન ઈરાની અને રત્ના પાઠક શાહ પણ મુખ્ય ભૂમિકામાં છે. દિવ્યાંગ ઠક્કર દ્વારા તેનું દિગ્દર્શન કરવામાં આવ્યું છે, જ્યારે મનીષ શર્મા અને યશ રાજ ફિલ્મ્સ તેના નિર્માતા છે.
પૃથ્વીરાજ
અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની ફિલ્મ પૃથ્વીરાજ દિવાળી નિમિત્તે 5 નવેમ્બર 2021ના રોજ રિલીઝ થશે. તેમાં સંજય દત્ત અને સોનુ સૂદ પણ સામેલ છે.