1983માં ભારતને વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું હ્રદય રોગના હુમલાથી નિધન થયું છે.
પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું નિધન
હાર્ટ એટેકના કારણે થયું નિધન
66 વર્ષની વયે દિગ્ગજ ક્રિકેટનું નિધન
પૂર્વ ક્રિકેટર અને 1893 વિશ્વ વિજેતા ભારતીય ટીમના સદસ્ય રહી ચુકેલા યશપાલ શર્માનું આજે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેમની ઉંમર 66 વર્ષ હતી. યશપાલ શર્માના નિધન પર પૂર્વ કેપ્ટન કપિલ દેવે દુઃખ વ્યક્ત કર્યું છે.
Yashpal Sharma, a member of the 1983 Cricket World Cup-winning team, died of cardiac arrest this morning. pic.twitter.com/9GaDPMsKyZ
શર્માએ ભારત માટે 37 ટેસ્ટ મેચમાં 1606 રન ફટકાર્યા હતા. તેમના હાઈએસ્ટ રન 140 રહ્યા અને સરેરાશ 33.45 રન હતા. ત્યાં જ વન ડે ક્રિકેટમાં તેમણે 42 મેચમાં 28.48ના સરેરાશથી 883 રન બનાવ્યા.
1983 વર્લ્ડ કપના હીરો હતા શર્મા
1983 વર્લ્ડ કપમાં ભારતીય ટીમને વેસ્ટઈન્ડિઝ સામે જીતાડવાની સાથે શરૂઆત કરી હતી. તેમાં શક્માની મુખ્ય ભુમિકા હતા. જ્યારે તે ક્રિઝ પર ઉતર્યા ત્યારે ટીમના સ્કોર ત્રણ વિકેટ પર 76 રનનો હતો જે થોડીક જ મિનિટોમાં પાંચ વિકેટ પર 141 રનનો બની ગયો હતો.
શર્માએ 120 બોલ પર 89 રન કર્યા હતા. તેમણે સારા શોર્ટ તો માર્યા જ સાથે સાથે વિકેટની વચ્ચે દોડીને રણ પણ બનાવ્યા. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા સામે આક્રામક 40 રન હોય અથવા ઈંગ્લેન્ડ વિરૂદ્ધ મુશ્કેલ પરિસ્થિતિમાં રમવામાં આવેલા 61 રનની ઈનિંગ હોય. શર્માએ ટૂર્નામેન્ટમાં 34.28ની સરેરાશથી 240 રન બનાવ્યા. ભારતે છેલ્લા વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો.
દિલીપ કુમારના હતા ફેન
યશપાલ શર્મા દિલીપ કુમારના મોટા ફેન હતા. તેમણે એવું પણ કહ્યું હતું કે દિલીપ કુમારે તેમનુ કરિયર બનાવવામાં મુખ્ય ભુમિકા નિભાવી છે. દિલીપ કુમારે પંજાબમાં રણજીત મેચ જોયા બાદ શર્મા માટે બીસીસીઆઈમાં રાજસિંહ ડુંગરપુર સાથે વાત કરી હતી. યશપાલ શર્મા આ વાત માટે દિલીપ કુમારના આભારી હતા.