તાજેતરમાં કરવામાં આવેલ કર્મચારીની ભરતીમાં ચેરમેન અને વાઇસ ચેરમન દ્વારા પોતાના સગા-વહાલાના ઉમેદવારની ભરતી કરવામાં આવી છે. તેવા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર વીનુ હપાણીએ આક્ષેપ કર્યા છે. આ મામલે જિલ્લા રજીસ્ટર અને સરકારમાં પત્ર લખી વાંધો રજુ કરવામાં આવ્યો છે. ડિરેક્ટર અને યાર્ડના હાલના ચેરમેન વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ થઇ રહ્યા છે.
આક્ષેપો કરવામાં આવ્યા છે કે તાજેતરમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ભરતી કરવામાં આવી તે હાઇકોર્ટ નિયમનો અનાદર કરીને ભરતી કરવામાં આવી છે. લાખો રૂપિયા ઉઘરાવી ભરતી કરી ઉમેદવારો લેવામાં આવ્યા છે. ચેરમેન ભીખાભાઇ અને વાઇસ ચેરમેન નટુ પોકિયાના સંબંધીઓની ભરતી કરવામાં આવી છે. જે સીનયર કર્મચારી હતા તેને પ્રોમશન આપવામાં આવ્યું નથી પરંતુ ચેરમેનએ તેના ભત્રીજા હરેશ ગજેરા અને પી.એસ ગજેરાને સીનયર કલાર્ક તરીકે નિમણૂંક કરી દેવામાં આવ્યા છે. જો આગામી દિવસો કોઈપણ પ્રકારનો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઉપવાસ બેસી ધરણા કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી.
જોકે જૂનાગઢ યાર્ડના ચેરમેન ભીખાભાઇ ગજેરાએ વીનું હપાણી ડિરેક્ટરના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે જે ભરતી 4 ઉમેદવારની કરવામાં આવી તે બિલકુલ પારદર્શક કરવામાં આવી છે. વીનું હપાણી મગફળીના કૌભાંડી છે એટલે વિસાવદર યાર્ડના ચેરમેન બની બેઠા છે. વિનુભાઈ શુ કામ કરે છે તે સૌ લોકો જાણે છે. જો તેમની પાસે પુરાવા હોય તો સામે આવી સાબિત કરે.