કર્ણાટકના માંડ્યા જિલ્લામાં આવેલ કૃષ્ણ સાગર બંધ નજીક સિવિલ ઠેકેદાર કેએન રાજુ મોત અને ન્યાયના દેવતા ગણાતા યમરાજનું મંદિર બનાવી રહ્યા છે. આમ જોઇએ તો આપણા દેશમાં યમરાજના કેટલાય મંદિરો આવેલા છે પરંતુ કર્ણાટકમાં મોતના દેવતાનું પ્રથમ મંદિર માનવામાં આવી રહ્યું છે. આ મંદિર આકાર પામ્યા બાદ 5 ફૂટની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે.
કર્ણાટકમાં બની રહ્યું છે યમરાજનું મંદિર
4 લાખ રૂપિયાનો કરાયો ખર્ચ
લોકોમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર
યમરાજની આ મૂર્તિમાં તેઓ ભેંસ પર સવાર થયેલા જોવા મળશે. આ મંદિર કેઆરએસ રેલવે સ્ટેશનની નજીક આવેલ છે અને બેંગ્લુરૂથી 145 કિલોમીટર દૂર છે. આ અંગે રાજુએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, યમરાજના કર્ણાટકમાં કોઇ જ મંદિર આવેલા નથી.
4 લાખ રૂપિયાનો ખર્ચ
એટલા માટે 4 લાખ રૂપિયાનો ખર્ચ કરીને આ મંદિર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ મંદિર બનાવવા માટે મારે કોઇ અધિકારીની મંજૂરી લેવાની જરૂર નથી કારણ કે હું મારી પોતાની જમીન પર આ મંદિર બનાવી રહ્યો છે.
પત્ની અને દીકરાએ જ કર્યો હતો વિરોધ જો કે, મંદિર બન્યું આકર્ષણનું કેન્દ્ર
રાજુએ કહ્યું કે મારું મૃત્યુ થયા પછી મંદિર કર્ણાટકના ધર્મ વિભાગની માલિકીનું રહેશે. રાજુએ યમરાજ ઉપરાંત સાંઇ બાબા, શનિ અને નાગદેવતાનું મંદિર બનાવ્યું છે. તેમણે કહ્યું, 'મારું આગળનું લક્ષ્ય ભગવાન બ્રહ્માના મંદિરનું નિર્માણ કરવાનું છે.' નોંધનીય છે કે આ મંદિર હોસૌંદાવાદી ગામમાં બનાવવામાં આવી રહ્યું છે. યમરાજનું મંદિર બનાવતી વખતે, રાજુની પત્ની અને તેના પુત્રએ તેનો વિરોધ કર્યો, પરંતુ તે સંમત ન થયા. હવે આ મંદિર લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે અને લોકો તેને જોવા માટે દૂર-દૂરથી આવી રહ્યા છે.