જો તમે પણ યાહૂ મેસેન્જર એપ ઉપયોગ કરો છો તો આજે તમારા માટે આ એપનો ઉપયોગ કરવાની છેલ્લી તારીખ છે. આજે એટલે કે 17 જુલાઇ બાદ તમે યાહૂ મેસેન્જરનો ઉપયોગ કરી શકશો નહીં. આજથી આ એપ હંમેશા માટે બંધ થઇ રહી છે. જણાવી દઇએ કે વેરિજોનના સ્વામિત્વ વાળા યાહૂએ કહ્યું કે યાહૂ મેસેન્જરના યૂઝર્સને નવા મેસેજિંગ એપ સ્કિવરલ પર શિફ્ટ કરવામાં આવશે.
જણાવી દઇએ કે ગૂગલ પ્લે સ્ટોર પર યાહૂ મેસેન્જરના ડાઉનલોડની સંખ્યા 50 000 000 થી પણ વધારે છે.
યાહૂ મેસેન્જર વેબ મેસેજિંગ એપના મામલામાં સૌથી જૂની એપ છે. એના નવા ફેરફારની સાથે નવી એપ સ્કિવરલને યાહૂ મેસેન્જરની જગ્યાએ રજૂ કરી રહ્યા છીએ જે યૂઝર્સને ખૂબ પસંદ આવશે એવું કંપનીએ જણાવ્યું હતું.
સ્કિવરલ એપની ટેસ્ટિંદ છેલ્લા 2 મહિનાથી થઇ રહી હતી. હવે આ એપને દરેક લોકો માટે જારી કરી દેવામાં આવી છે. નવી એપ સ્કિવરલ પર ગયા બાદ યૂઝર્સ યાહૂ મેસેન્જર પર છેલ્લા છ મહિનામાં કરેલું ચેટિંગનું બેકઅપ લઇ શકે છે.