ગુજરાત વિધાનસભાની 8 બેઠકો ઉપરથી કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે ત્યારે આગામી સપ્તાહમાં પેટાચૂંટણી અંગેના કાર્યક્રમની જાહેરાત થઇ શકે છે. રાજ્યસભાની ચૂંટણી બાદ પેટાચૂંટણીની જાહેરાત થઇ શકે છે. કોંગ્રેસમાંથી રાજીનામાં આપેલા ધારાસભ્યોને ભાજપમાંથી તક મળશે એટલું જ નહીં પરંતુ કોંગ્રેસમાંથી રાજીનામાં આપીને આવેલા એક ધારાસભ્યને તો મંત્રીપદ મળવા સુધીની વાત હાલ ગાંધીનગરમાં ચર્ચાઈ રહી છે.
જૂલાઇ-ઓગસ્ટમાં પેટાચૂંટણી યોજાઇ શકે છે
મોરબી, લીંબડી, ગઢડા, કપરાડા, ડાંગ બેઠક ખાલી
અબડાસા, ધારી અને કરજણ સહિતની 8 બેઠકો ખાલી
ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી અંગે મહત્વના સમાચાર મળી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ કોંગ્રેસના 6 પૂર્વ-ધારાસભ્યોને ટિકિટ આપી શકે છે. તો એક ધારાસભ્યને મંત્રી પદ મળી શકે છે.
જૂલાઇ-ઓગસ્ટમાં પેટાચૂંટણી યોજાઇ શકે છે. મોરબી, લીંબડી, ગઢડા, કપરાડા, ડાંગ, અબડાસા, ધારી અને કરજણ સહિતની 8 બેઠકો ખાલી છે. આગામી સપ્તાહમાં પેટાચૂંટણી અંગેના કાર્યક્રમની જાહેરાત થઇ શકે છે. રાજ્યસભાની ચૂંટણી બાદ પેટાચૂંટણીની જાહેરાત થઇ શકે છે.