ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત અને ચીન વચ્ચેની બીજી અનૌપચારિક સમિટમાં ભાગ લેવા ચેન્નઈ પહોંચ્યા છે. તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનેક વખત મુલાકાત કરશે અને દક્ષિણ ભારતની સંસ્કૃતિથી માહિતગાર થશે.
રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત મુલાકાત
જમવામાં પીરસવામાં આવશે સાઉથ ઇન્ડિયન વાનગી
આ સમય દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ દક્ષિણ ભારતીય થાળીનો સ્વાદ લેશે, એટલે કે તેઓ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના ડિનર પર દક્ષિણ ભારતનું સ્વાદિષ્ટ રાત્રિભોજન કરશે.
તમિલનાડુના મહાબલીપુરમમાં ચીનની સાથે ઐતિહાસિક સંબંધોને કારણે આ ઐતિહાસિક મુલીકાત અહીં યોજાઇ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શી જિનપિંગને પોતે કલ્ચર વિશે સમજાવશે. આ દરમિયાન શુક્રવારે સાંજે PM મોદી તરફથી ડિનરનું આયોજન કરાવવામાં આવશે. તેમાં તેમને ભારતીય વાનગી પીરસવામાં આવશે. શી જિનપિંગને સાઉથ ઇન્ડિયન થાળી પીરસવામાં આવશે. તેમાં તે વ્યંજન સામેલ થઇ શકે છે.
થક્કાલી રસમ
કઢલાઇ કુરુમા
કવારનરસી હલવા
અરચુવિતા સંભાર
આ સિવાય પણ દક્ષિણ ભારતની કેટલીય શી જિનપિંગને પીરસવામાં આવશે.
ભારત પહોંચ્યા શી જિનપિંગ
જમ્મુ કાશ્મીર પર કડક દલીલો કર્યા બાદ આજે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચેન્નઈ એરપોર્ટ પહોંચી ચૂક્યા છે. સાંજે તેઓ મહાબલીપુરમમાં પીએમ મોદીને મળશે. ભારત- ચીનની વચ્ચે આ વખતે ઇન્ફોર્મલ સમિટ તમિલનાડુના મહાબલીપુરમ (મામલ્લાપુરમ)માં યોજાઈ રહી છે. શી જિનપિંગના સ્વાગતમાં પીએમ મોદીએ ચીની ભાષામાં ટ્વિટ કરીને વેલકમ કર્યું હતું. આ સમયે અનેક ખાસ મુદ્દા પર વાતચીત થશે.