છેલ્લા કેટલાક સમયગાળાથી ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ખાસ કરીને લદ્દાખની ગલવાન ખાડીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ આ વિવાદ વધુ ઘેરો બન્યો છે અને સીમા મામલે બંન્ને રાષ્ટ્રો એકબીજાની સામે આવીને ઉભા રહી ગયા છે ત્યારે ચીનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગે સૈન્યને કોઇપણ ક્ષણે યુદ્ધ માટે તૈયાર રહેવાના આદેશ આપ્યા છે. એટલું જ નહીં સશસ્ત્ર દળોને પણ વાસ્તવિક જંગની સ્થિતિઓનો અભ્યાસ કરવાનો પણ આદેશ આપ્યો છે. જણાવી દઇએ કે, લદ્દાખમાં થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો અને 40 ચીની સૈનિકો માર્યા ગયા હતા.
કોઇપણ સમયે યુદ્ધ માટે તૈયાર રહેવાના આપ્યા આદેશ
સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા પ્રમાણે 2021માં કેન્દ્રીય સૈન્ય આયોગના ચેરમેનની રીતે પોતાના પહેલા આદેશમાં જીનપિંગે પીપલ્સ લિબરેશન આર્મીનો કોઇપણ સમયે યુદ્ધ માટે તૈયાર રહેવા જણાવાયું છે. સાથે જ વાસ્તવિક લડાઇની સ્થિતિનું નિર્માણ કરીને પ્રશિક્ષણ લેવાની પણ વાત કરી છે જેથી કોઇપણ સ્થિતિમાં જંગ જીતી શકાય.
2015 માં ચીની સેનાનું આધુનિકરણ શરૂ થયું
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ મુજબ, શીએ જણાવ્યું હતું કે, ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીસી) ના સૈન્ય એકમ, પી.એલ.એ આ સંદર્ભે 1 જુલાઈ સુધીમાં શ્રેષ્ઠ બનાવવાની છે. જણાવી દઈએ કે 1 જુલાઈ એ સીપીસીની 100 મી વર્ષગાંઠ છે. શીએ પ્રેક્ટિસ દરમિયાન પ્રાધ્યોગિકીના ઉપયોગને પ્રોત્સાહન આપવાની પણ ભલામણ કરી હતી. આમાં કમ્પ્યુટર સિમ્યુલેશન્સ અને ડ્રીલમાં ઓનલાઈન લડાઇ શામેલ છે. 20212 ના અંતમાં સીએમસીના અધ્યક્ષ અને વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી, જીનપિંગ પીએલએને હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. તેણે વર્ષ 2015 માં ચીની સેનાનું આધુનિકરણ શરૂ કર્યું.
સરહદ પર વિવાદ
આપને જણાવી દઇએ કે, ભારતીય સૈન્ય સરહદ પર સંપૂર્ણ સચેત છે અને કોઈપણ કાર્યવાહીનો જવાબ આપવા તૈયાર છે. આપને જણાવી દઈએ કે પૂર્વી લદ્દાખમાં સરહદની ટક્કરના પગલે ચીને ડિસેમ્બરમાં મોટી સંખ્યામાં રડાર, સપાટીથી હવા અને સપાટીથી સપાટી મિસાઇલો અને અન્ય શસ્ત્રો તૈનાત કર્યા હતા. અહીં ભારતીય સેના પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. સેનાએ મોટી સંખ્યામાં ટી -90 અને ટી -72 ટાંકી, તોપો, અન્ય સૈન્ય વાહનોને વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં પરિવહન કર્યું છે. નોંધપાત્ર વાત એ છે કે, પૂર્વ લદ્દાકમાં એલએસીમાં છેલ્લા નવ મહિનાથી બંને દેશોની સેના વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશો વચ્ચે સરહદ વિવાદના સમાધાન માટે લશ્કરી અને રાજદ્વારી વાટાઘાટો પણ ચાલી રહી છે.