પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની ત્રણ દિવસીય ચીન યાત્રાના ત્રણ દિવસ બાદ રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતના પ્રવાસે છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જિનપિંગ સાથે અનૌપચારિક શિખર સંમેલનમાં તેમનું સ્વાગત કરી રહ્યા છે. મોદી અને જિનપિંગની આ મુલાકાત પર પાકિસ્તાનની પણ નજર ટકેલી છે.
પાકિસ્તાનને આશા છે કે મુલાકાતમાં ચીન કાશ્મીર મુદ્દો ઉઠાવશે
મોદી જિનપિંગની આ મુલાકાત પર પાકિસ્તાન તાકીને બેઠું છે અને તેને આશા છે કે ચીન ભારત સરકાર સમક્ષ 5 ઓગસ્ટે કાશ્મીર પર લેવામાં આવેલ મુદ્દાને ઉઠાવશે. કાશ્મીર મુદ્દા પર ચીન ખુલીને ભારત વિરૂદ્ધ અને પાકિસ્તાનની સાથે રહ્યું છે. ત્યાં સુધી કે કાશ્મીર મુદ્દો યૂનાઇટેડ નેશન્સ કાઉન્સિલમાં ઉઠાવવાના પાકિસ્તાનના પ્રયત્નોમાં ચીને પણ તેનો સાથ આપ્યો.
કલમ 370ને લઇને ચીનનું વલણ
ચીન હજુ પણ આ વાત પર અડક છે કે કાશ્મીર વિશે 5 ઓગસ્ટે લેવામાં આવેલ ભારત સરકારના એક તરફી નિર્ણયનો વિરોધ કરે છે. ચીને ભારત અને પાકિસ્તાનને અપીલ કરી છે કે તેઓ કાશ્મીરને લઇને આવા નિર્ણયો લેવાથી બચે.
ચીન કાશ્મીરમાં માનવાધિકારના મુદ્દા ઉઠવવામાં પણ ઘણું આગળ રહ્યું છે અને તે ભારત આ નિર્ણયને માનવાધિકારનું ઉલ્લંઘન કહે છે. ચીન ન માત્ર આતંકવાદ જેવા ગંભીર મુદ્દા પર, પરંતુ તમામ મુદ્દાઓ પર ખુલીને પાકિસ્તાન સાથે રહ્યું છે. તેણે ભારતના તે પ્રયત્નોનો પણ વિરોધ કર્યો જ્યારે ભારતે પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર જાહેર કરવાના પ્રયત્નો કર્યા.
પાકિસ્તાનને ચીનનું સમર્થન
જિનપિંગની ભારત યાત્રા અગાઉ ચીનને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનને બીજિંગ બોલાવીને પણ પોતાની નીતિ સ્પષ્ટ કરી દીધી છે. ચીનના પ્રધાનમંત્રી લી કેકિયાંગે કહ્યું કે, ચીન પાકિસ્તાનની સ્વતંત્ર સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાની સુરક્ષાનું સમર્થન કરે છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ પણ નિવેદન આપ્યું છે કે, ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે પોતાની ભારત યાત્રા વિશે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનને વિશ્વામાં લીધા છે. તેમનું કહેવું છે કે આપણો સંબંધ એવો છે કે આપણે દરેક ડગલે એક બીજાને વિશ્વામાં લઇએ છીએ.