ચેન્નઈની નજીકના તટીય શહેર મામલ્લપુરમમાં પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે 11 અને 12 ઓક્ટોબરે બીજી અનૌપચારિક શિખર વાર્તા થવા જઈ રહી છે. તેના સફળતાપૂર્વક આયોજનને માટે શહેરની કિલ્લેબંધી કરવામાં આવી છે. શહેરની સજાવટમાં લાલ રંગનો ભરપૂર ઉપયોગ કરાયો છે. તેનું કારણ એ છે કે ચીનનો રાષ્ટ્રિય ધ્વજ લાલ રંગનો છે.
ચેન્નઈના મામલ્લપુરમમાં શિખર વાર્તા કરશે મોદી અને જિનપિંગ
બેઠકથી બંને દેશોના ભલિષ્યમાં આગળ વધવાનો રસ્તો નક્કી થશે
અન્ય અનૌપચારિક શિખર વાર્તા 11 અને 12 ઓક્ટોબરે થશે
લાલ રંગથી સજાવાયું છે શહેર, કારણ ચીનનો રાષ્ટ્રિય ધ્વજ લાલ છે
પૂર્વ નિર્ધારિત વિષયો વિના ખુશનુમા માહોલમાં થશે વાતચીત
Tamil Nadu: Dept of Horticulture has decorated a huge gate near 'Pancha Rathas' in Mamallapuram where PM Modi & Chinese President, Xi Jinping are expected to visit later today. 18 varieties of vegetables & fruits,brought from different parts of the state, used in this decoration. pic.twitter.com/L8QXhWw34B
બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણકે જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પહેલી વખત બંને નેતા એકસાથે મળશે. ખાસ કરીને જ્યારે પાકિસ્તાની પ્રધાનમંત્રી હાલમાં જ ચીન જઈને જિનપિંગ પાસે પોતાનું દર્દ ઠાલવી આવ્યા છે ત્યારે આ મીટિંગ ખાસ રહેશે. ઉલ્લેખનીય છે કે જિનપિંગ સાથે પીએમ મોદીની આ 15મી મુલાકાત હશે.
Sources: Navy & Indian Coast Guard have deployed warships to provide security to the meeting between PM Modi and Chinese President Xi Jingping at Mamallapuram in Tamil Nadu. Navy warship deployed at some distance from shore to provide security from any seaborne threat. (file pic) pic.twitter.com/tzYhD97rA2
શહેરને અનેક જગ્યાએ રંગોળીથી સજાવાયું છે. તેમાં લાલ રંગનો ઉપયોગ વધારે કરાયો છે. સ્મારક અને અન્ય સ્થળોની સફાઈમાં અને સૌંદર્યીકરણનું કામ પૂરું થયું છે. તટીય શહેરને લગભગ 100 સજાવટી રોશનીથી સજાવાયું છે. પ્રવેશ સ્થળે વિશેષ સ્વાગત મેહરાબ બનાવાયો છે અને આખા શહેરમાં મોદી- જિનપિંગના કટઆઉટ લગાવાયા છે.
Tamil Nadu: The 2nd informal meeting between PM Narendra Modi and Chinese President Xi Jinping to begin in Mamallapuram today. Indian Navy and Indian Coast Guard have deployed warships, at some distance from the shore in Mamallapuram, to provide security from any seaborne threat. pic.twitter.com/wmO2ImJWcC
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારત આગમન પર ભવ્ય સ્વાગતની તૈયારીની વચ્ચે ચીનને કહ્યું કે બંને દેશ એકમેકને માટે કોઈ ખતરો ઊભો કરશે નહીં. આ સાથે બંને દેશો એશિયાઈ દિગ્ગજ એકમેકને વ્યાપાર સહયોગ આપશે અને શાંતિ અને સ્થિરતા કાયમ કરવા માટે સકારાત્મક ઉર્જા ભરશે.
#WATCH Around 2000 students of a school in Chennai make a formation wearing masks of Chinese President Xi Jinping, welcoming him to India. The Chinese President will visit Chennai from October 11-12 for the second Informal Summit with Prime Minister Narendra Modi. #TamilNadupic.twitter.com/SwbfKHWIuY
ભારત અને ચીન વચ્ચે આ પ્રકારની સમિટ બીજી વખત થવા જઇ રહી છે. જેમાં બંને દેશના પ્રમુખ કોઇપણ એજન્ડા નક્કી કર્યા વગર મળી રહ્યાં છે. આ અગાઉ 27-28 એપ્રિલ 2018ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનના વુહાન રાજ્ય પહોંચ્યા હતા. ત્યારે પણ બંને નેતાઓ વચ્ચે કોઇ નિશ્ચિત એજન્ડા પર વાતચીત થઇ નહોતી. તે સમયે ભારત-ચીન વચ્ચે ડોકલામ વિવાદ ચાલી રહ્યો હતો.
Tamil Nadu: Security deployed, CCTV cameras installed at Mamallapuram ahead of the arrival of Chinese President Xi Jinping. pic.twitter.com/6OANldGU2a
શક્ય છે કે આ મુદ્દા પર થશે ચર્ચા, ઇન્ફોર્મલ મિટિંગ યોજાશે
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શુક્રવારે બપોરે ચેન્નઈ પહોંચશે. જ્યાંથી તે મહાબલીપુરમ રવાના થશે. અહીં બંને દેશોના પ્રમુખ ચા સાથે મિટિંગ કરશે અને વાતચીતની શરૂઆત અહીંથી શરૂ થશે. આ મિટિંગ સંપૂર્ણ રીતે ઈન્ફોર્મલ રહેશે એટલે તેનો કોઈ એજન્ડા નક્કી નથી. આમ છતાં બેઠકમાં આતંકવાદ, બિઝનેસ અને બોર્ડર વિવાદ જેવા મુદ્દા પર કોઈ નિર્ણય આવી શકે છે.
ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનો 2 દિવસનો કાર્યક્રમ
11 ઓક્ટોબર, શુક્રવાર
12:30 PM - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ચેન્નાઈ એરપોર્ટ પર આગમન
12:55 PM -મામલ્લપુરમ એરપોર્ટ પર હેલિકોપ્ટર દ્વારા આગમન
1:30 PM - ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનું ચેન્નઈ એરપોર્ટ પર આગમન, એરપોર્ટ પર ચીની રાષ્ટ્રપતિનું સ્વાગત. આ સમયે એરપોર્ટ પર કોઈ પણ અન્ય ફ્લાઈટ ઉડશે નહીં.
1.45 PM - ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ એયરપોર્ટથી હોટલ ITC ગ્રેંડ માટે રવાના થશે. થોડી વાર આરામ બાદ શી જિનપિંગ મામલ્લપુરમને માટે રવાના થશે.
5:00 PM - મામલ્લપુરમ પહોંચીને અર્જુનની તપસ્યા સ્થળી, પંચરથ, મલ્લમપુરમના શોરે મંદિરની લેશે મુલાકાત. આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે રહેશે.
2:00 PM - પીએમ મોદી દિલ્હી માટે રવાના થશે, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચીન માટે રવાના થશે
સંપૂર્ણ રીતે તૈયાર છે મામલ્લપુરમ
ચીની રાષ્ટ્રપતિના પ્રવાસ પહેલાંથી જ મામલ્લપુરમ સજી ચૂક્યું છે. અહીં ઐતિહાસિક સ્થળોને સજાવવામાં આવ્યા છે. આ સ્થળોએ બંને દેશોના પ્રમુખ મુલાકાત લેશે. શી જિનપિંગના ભારત પહોંચતા પહેલાં તેમના વાહન પહેલાં જ ચેન્નઈ પહોંચી ચૂક્યા છે. આ સિવાય ચેન્નઈ અને મામલ્લપુરમમાં તમામ પ્રકારની સુરક્ષા સજ્જ કરી દેવામાં આવી છે.
મામલ્લપુરમ જ શા માટે?
તમિલનાડુમાં બંગાલની ખાડીના કિનારે મામલ્લપુરમ શહેર ચેન્નઈથી લગભગ 60 કિમી દૂર છે. આ નગરની સ્થાપના ધાર્મિક ઉદ્દેશથી પલ્લવ વંશના રાજા નરસિંહ દેવ બર્મને કરી હીત. પુરાતત્વ શોધમાં મામલ્લપુરમથી ચીની, ફારસી અને રોમના પ્રાચીન સિક્કા મોટી સંખ્યામાં મળ્યા હતા. મામલ્લપુરમની પાસે કાંચીપુરમમાં 7મી સદીમાં પલ્લવ શાસન સમયે ચીની યાત્રી હેન સાંગ આવ્યા હતા. તેઓએ પોતાની બુકમાં દક્ષિણ ભારતની ભવ્યતા અને ચીની સંબંધોનું પણ વર્ણન કર્યું હતું.