કેન્દ્ર સરકારના નવા કાયદાઓ સામે દિલ્હીમાં હજારોની સંખ્યામાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે હવે ખલી પણ હવે તેમના સમર્થનમાં આવી ગયા છે.
WWE સુપરસ્ટાર ધ ગ્રેટ ખલી આંદોલનના સમર્થનમાં
છ મહિનાનું રાશન લઈને આવ્યા છે : ખલી
રકારનો પંગો પંજાબી અને હરિયાણ્વી લોકોથી પડ્યો છે : ખલી
ખેડૂતોના સમર્થનમાં પહેલવાન
WWE સુપરસ્ટાર અને રિંગમાં મોટા મોટા પહેલવાનોને ધૂળ ચટાડી દેનાર ધ ગ્રેટ ખલી પણ હવે ખેડૂતો સાથે દિલ્હીની બોર્ડર પર આંદોલનનું સમર્થન કરી રહ્યા છે. તેમણે સરકારને ખેડૂતોની માંગનો સ્વીકાર કરવા કહ્યું છે અને ત્રણેય કૃષિ કાયદાઓને પાછા લઇ લેવા માટે માંગ કરી છે. પ્રદર્શન સ્થળ પર પહોંચેલા ખલીએ કહ્યું કે તે છ મહિનાનું રાશન લઈને અવ્યા છે અને જ્યાં સુધી માંગ પુરી ન થાય ત્યાં સુધી પાછા જવાનું નથી.
સરકારને સીધો પડકાર
ખલીનો વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ તેજીથી વાયરલ થઇ રહ્યો જેમાં તેમણે સરકાર સામે પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે ખેડૂતો પાસેથી અનાજ થોડાક રૂપિયામાં લેવામાં આવશે અને સામાન્ય માણસને 200ના હિસાબથી વેચી દેવામાં આવશે. તેનાથી વધારે નુકસાન તો મજૂરોનું છે, આ કાયદાનાં કારણે સામાન્ય માણસને વધારે નુકસાન થશે.
વીડિયોમાં ખલીએ બધા લોકોને ખેડૂતો સાથે ઉભા રહેવાની અપીલ કરી છે જેથી સરકાર ખેડૂતોની માંગ સ્વીકાર મજબૂર થઇ જાય. તેમણે કહ્યું કે આ સરકારનો પંગો પંજાબી અને હરિયાણ્વી લોકોથી પડ્યો જેમનો સામનો કરવો ખૂબ મુશ્કેલ થશે. તેમણે કહ્યું કે તેઓ તો છ મહિનાનું રાશન લઈને આવી રહ્યા છે જેથી અહિયાં અડગ રહી શકાય.
કૃષિ કાયદા રદ કરવા માટે સંસદમાં વિશેષ સત્ર બોલાવવામાં આવે
ખેડૂતોના નેતાએ એક નવી માંગણી કરી છે. તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર 3 વિવાદાસ્પદ કૃષિ કાયદા રદ કરવા માટે સંસદમાં વિશેષ સત્ર બોલાવે. તેમણે કહ્યું છે કે જો સરકાર આ કાયદાઓ રદ નહીં કરે તો આંદોલન ચાલુ રાખવામાં આવશે.
ખેડૂતોના દિલ્લી ચલો આંદોલનને ગુજરાત કોંગ્રેસનું સમર્થન
ખેડૂતોના આંદોલનના સમર્થનમાં ગુજરાતમાં કોંગ્રેસ જિલ્લા મથકે પ્રદર્શન યોજવા જઈ રહ્યું છે. 4 ડિસેમ્બરના કોંગ્રેસ જિલ્લા સ્તરે પ્રદર્શન યોજશે. નોંધનીય છે કે નવા 3 કૃષિ બિલના વિરોધમાં ગુજરાત કોંગ્રેસનું ખેડૂતોને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસ તમામ જિલ્લા મથકે ધરણા કરશે.
ખેડૂતોના આંદોલનને લઇ સરકારને ચીમકી
ખેડૂતોએ પોતાનું આકરું વલણ દર્શાવતા કહ્યું છે કે જો તેમની માંગ પુરી કરવામાં ન આવી તો દિલ્લીમાં આવશ્યક વસ્તુઓની અછત શકે છે. આ મુદ્દે જીંદ ખાપ પંચાયતે સરકારને ચેતવણી આપી છે.
દિલ્લી નહીં મોકલીએ દૂધ-ફળ-શાકભાજી: ખેડૂતો
3 ડિસેમ્બરની બેઠકમાં ઉપર હવે સૌએ મીટ માંડી છે. ખેડૂતોએ પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું છે કે જો 3 ડિસેમ્બરે સમાધાન નહીં થાય તો તેના વરવા પરિણામો આવશે. જો સરકાર તેમની માંગ પુરી નહીં કરે તો દૂધ-ફળ-શાકભાજી બંધ કરી દેવામાં આવશે તેવી ખેડૂતોએ ધમકી આપી છે. ખેડૂતોએ ચિંતાજનક ધમકી આપતા કહ્યું છે કે રાજધાની દિલ્હી પહોંચતો દૂધ-ફળ-શાકભાજીનો પુરવઠો અટકાવી દેવામાં આવશે.