વિશ્વ વ્યાપાર સંગઠને ભારતીય અર્થવ્યવસ્થાની ખૂબ જ પ્રશંસા કરી હતી, મહત્વનું છે કે છેલ્લા પાંચ વર્ષમાં 7.4 ટકાના દરે વિકાસ કરવા બદલ અને ભારતની માથા દીઠ આવક વધવા પર ભારતની પ્રશંસા કરી હતી.
વિશ્વ વેપાર સંગઠને કરી ભારતની પ્રશંસા
છેલ્લા પાંચ વર્ષમાં ભારતે સાધ્યો સારો વિકાસ : WTO
કૃષિ કાયદા અને ડીબીટી જેવી યોજનાના વખાણ કર્યા
વિશ્વ વ્યાપાર સંગઠને કહ્યું હતું કે સારો આર્થિક વિકાસ આર્થિક અને સામાજિક વિકાસના માપદંડો જેવા કે માથાદીઠ આવક અને સરેરાશ વય મર્યાદામાં વધારો સૂચવે છે.
એફડીઆઇમાં પણ ભારતે સાર કામ કર્યું : WTO
વિશ્વ વેપાર સંગઠને ભારતના એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટની પોલિસીમાં સુધારા કરવા બદલ અને છેલ્લા 5 વર્ષમાં 7.4 ટકાના દરે આર્થિક વિકાસ સાધવા બદલ ભારતના વખાણ કર્યા હતા.ખાસ તો ભારતમાં ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસના મામલે તેના નિર્ણયોની પ્રશંસા કરી હતી.
ડબલ્યુટીઓ સેક્રેટેરિયટ દ્વારા બહાર પાડવામાં આવેલી ભારતની સેવન્થ ટ્રેડ પોલિસી રિવ્યુ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં થયેલા સારા આર્થિક વિકાસના પરિણામે સામાજિક આર્થિક વિકાસના માપદંડો જેવા કે માથાદીઠ આવક અને સરેરાશ વય મર્યાદામાં સુધારો થયો છે.
ડબ્લ્યુટીઓ જે છેલ્લા ઘણા સમયથી ભારતને કૃષિ ક્ષેત્રે તેની સબસિડીઓને બંધ કરવા માટે કહી રહ્યું હતું તેણે મોદી સરકારે પસાર કરેલા ત્રણ નવા કૃષિ કાયદાની પણ પ્રશંસા કરી હતી, આ તે જ કાયદા છે જેના લીધે સરકાર અને ખેડૂતો વચ્ચે મતભેદ ઉભો થયો છે અને ખેડૂતો છેલ્લા 44 દિવસથી દિલ્હીની અંદર આંદોલન કરી રહ્યા છે.
આર્થિક એકીકરણની નીતિઓથી ભારતમાં સારું કામ : WTO
સાથે જ ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર જેવી યોજના ચલાવવા બદલ પણ આ સંસ્થાએ ભારતના વખાણ કર્યા હતા, આ સિવાય સંસ્થાએ કહ્યું હતું કે આર્થિક એકીકરણની નીતિઓ ગ્રામીણ ક્ષેત્રમાં સ્ટ્રેસ ઓછું કરવાનું કામ કરે છે, જેમાં ખેડૂતોને એમએસપી અને ડીબીટી જેવી સ્કીમો સામેલ છે. આ સિવાય નેશનલ ફૂડ સિક્યુરીટી એક્ટ દ્વારા ભારતની મોટા ભાગની ગ્રામીણ અને શહેરી જનસંખ્યાને સબસિડાઇઝડ ખોરાક આપવું તે પણ એક ધ્યેય છે.
જો કે ભારત જેવા દેશમાં કે જ્યાં માળખાગત સુવિધાઓના નિર્માણની સખ્ત જરૂર છે ત્યાં સબસીડી ઓછી કરીને તેને વ્યવસ્થિત મેનેજ કરીને બાકીના સંસાધનોને તેમાં લગાડી શકાય. સરકારના જીએસટી, ઈંસોલ્વન્સી અને બેંકરપ્સી કોડ, બેન્કિંગ રિફોર્મ્સની પણ ડબ્લ્યૂટીઓએ પ્રશંસા કરી હતી.