ઓનલાઈન લેવડદેવડના જમાનામાં ભૂલથી ખોટા એકાઉન્ટમાં જતા રહેલા પૈસા પાછા મેળવવાનું ખૂબ સરળ છે અહીં તે જણાવાયું છે.
UPI અથવા નેટ બેન્કિંગ વખતે ખોટા એકાઉન્ટમાં ગયેલા પૈસા પાછા મેળવવા શું કરવું
મોબાઈલમાં આવેલો PPBL નંબર બેન્કમાં આપો
બ્રાન્ચ મેનેજેરને પત્ર લખીને જરુરી વિગતો આપો
48 કલાકમાં બેન્ક તમને પૈસા પાછા આપી દેશે
આજકાલ UPI અથવા નેટ બેન્કિંગ દ્વારા ડિઝિટલ લેવડદેવડનો ટ્રેન્ડ વધી રહ્યો છે અને તેને કારણે ક્યારેય ભૂલથી ખોટા એકાઉન્ટમાં પૈસા જતા થઈ જતા હોય છે ત્યારે માણસ ચિંતાતુર બની જતો હોય છે પરંતુ અહીં તમને એક પ્રોસેસ જણાવાઈ છે જેના દ્વારા તમે ખોટા એકાઉન્ટમાં ગયેલા પૈસા 48 કલાકની અંદર પાછા લાવી શકશો.
PPBL નંબર ડિલિટ ન કરતા, બેન્કમાં આપો
UPI અથવા નેટ બેન્કિંગ કર્યાં પછી મોબાઈલમાં એક મેસેજ આવતો હોય છે જેમાં PPBL જણાવાયો છે, પૈસા પાછા લાવવા આ નંબર ખૂબ કામનો છે એટલે તમને લાગે કે ખોટા એકાઉન્ટમાં પૈસા જતા રહ્યાં છે તો આ નંબરવાળા મેસેજને ડિલિટ ન કરો અને આ નંબર જ તમારુ કામ કાઢી આપશે.
48 કલાકમાં પૈસા પાછા આપવા બેન્ક બંધાયેલી છે
આરબીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલી નવી ગાઈડલાઈન્સ અનુસાર બેંકની જવાબદારી છે કે તે 48 કલાકની અંદર તમારા પૈસા પરત કરે. જો બેંકો પૈસા પાછા મેળવવામાં મદદ ન કરે તો ગ્રાહકો bankingombudsman.rbi.org.in પર ફરિયાદ કરી શકે છે. જો ભૂલથી ખોટા ખાતામાં પૈસા જાય છે તો તમારે પત્ર લખીને બેંકને આપવા પડશે. આમાં તમારે ખાતા નંબર, ખાતાધારકનું નામ, જે ખાતા નંબરમાં પૈસા ગયા હોય તે ખાતા નંબર લખવાના રહેશે.
આવી રીતે બેન્કમાંથી મેળવો રિફંડ
1. ભૂલથી ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા બાદ પહેલા તમારી બેંકને કોલ કરો અને બધી માહિતી સાથે પીપીબીએલ નંબર આપો
2. આ પછી, બેંકમાં જાઓ અને ત્યાં તમારી ફરિયાદ દાખલ કરો.
૩. બ્રાન્ચ મેનેજરને એક પત્ર લખો.
4. આ પત્રમાં, જે ખાતામાં પૈસા ગયા છે તે એકાઉન્ટ નંબર લખો અને તે એકાઉન્ટ નંબર વિશે પણ માહિતી આપો જેમાં તમે પૈસા મોકલવા માંગો છો.ટ્રાન્ઝેક્શન રેફરન્સ નંબર, ટ્રાન્ઝેક્શનની તારીખ, રકમ અને આઇએફએસસી કોડ લખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
યુપીઆઈ અને નેટબેન્કિંગમાં નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખો
યુપીઆઈ અને નેટબેન્કિંગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તમે જે વ્યક્તિને પૈસા મોકલી રહ્યા છો તેનું નામ અને એકાઉન્ટ નંબર સાચો હોય. ક્યૂઆર કોડ દ્વારા યુપીઆઈ કરતી વખતે દુકાનદારને તેમનું નામ પૂછીને બંનેને મિક્સ કરી લો, જેથી એ સુનિશ્ચિત થઈ જશે કે તમે જે વ્યક્તિને પૈસા મોકલી રહ્યા છો તે સાચો એકાઉન્ટ નંબર છે. નેટ બેન્કિંગ કરતી વખતે ઉતાવળ ન કરવી. નેટ બેન્કિંગ અને યુપીઆઈ બાદ મળેલા મેસેજને સેવ કરો.