વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. ભારતમાં કુલ કોરોના કેસ દોઢ લાખની નજીક પહોંચી રહ્યા છે અને અમેરિકામાં એક લાખ લોકોએ કોરોના વાયરસના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે WHO એ ફરીવાર મોટી ચેતવણી આપી છે. WHO નું માનવું છે કે કોરોના તો હજુ પહેલાં તબક્કામાં જ છે અને વર્ષના અંત સુધી બીજો તબક્કો શરુ થઇ શકે છે.
કોરોનાં વાયરસ હજુ પહેલાં તબક્કામાં છે : WHO
જે દેશોમાં કોરોનાનો પ્રકોપ ઘટ્યો ત્યાં આવી શકે છે બીજો તબક્કો : WHO
સતત ટેસ્ટિંગ અને વ્યાપક રણનીતિની આવશ્યકતા
કોરોના વાયરસ મહામારીનો બીજો તબક્કો આવવાનો બાકી : WHO
વિશ્વભરમાં કોરોના વાયરસનો તાંડવ ચાલુ છે. ઘણા દેશોમાં કોરોના વાયરસના કેસમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે આ દેશો પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી છે. WHO એ કહ્યું કે 'દેશ અને દુનિયામાં કોરોના વાયરસનો ખતરો હજુ ઓછો થયો નથી. કોરોના વાયરસ મહામારીનો બીજો તબક્કો આવવાનો બાકી છે. જે દેશોમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે તે હજુ બીજા તબક્કાનો સામનો કરી શકે છે.'
જે દેશોમાં કોરોના થંભી રહ્યો છે ત્યાં શરુ થશે બીજો તબક્કો !
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ઓનલાઈન બ્રિફિંગમાં ડૉ. માઈક રેયાને કહ્યું કે 'દુનિયામાં હજુ કોરોના વાયરસનો પ્રકોપ પહેલાં તબક્કામાં જ છે. જ્યારે મહામારી એ વિવિધ તબક્કાઓમાં આવે છે. જેનો અર્થ થાય છે કે જ્યાં કોરોના વાયરસ રોકાઈ રહ્યો છે ત્યારે વર્ષના અંત સુધીમાં બીજો તબક્કો શરુ થઇ શકે છે. હજુ પણ મોકો છે. જો પહેલાં તબક્કામાં કોરોનાને રોકવા માટે યોગ્ય ઉપાય કરવામાં આવે તો સંક્રમણને ફેલાતો રોકી શકાય છે.'
વધુમાં માહિતી આપતા ડૉ. રેયાને કહ્યું કે 'યુરોપ અને ઉત્તરી અમેરિકાના દેશોમાં સ્વાસ્થ્ય અને સામાજિક જરૂરતો પર ધ્યાન આપવું પડશે અને નિરીક્ષણ કરવું પડશે. ટેસ્ટિંગ પણ સતત કરાવતા રહેવું પડશે અને એક વ્યાપાક રણનીતિ ઘડવી પડશે. જેથી કોરોના પ્રકોપ ઘટાડી શકાય અને મહામારી બીજા તબક્કામાં પ્રવેશ ન કરે.