બોલીવુડના પ્રસિદ્ધ એક્ટર ગિરીશ કર્નાડ (Girish Karnad)નું સોમવારે 81 વર્ષની વયે નિધન થઇ ગયું છે. જાણિતા એક્ટર ગિરીશ કર્નાડ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. ગિરીશ કર્નાડે સલમાન ખાન (Salman Khan) ની ફિલ્મ 'એક થા ટાઇગર' અને 'ટાઇગર જિંદા હે'માં કામ કર્યું હતું.
ગિરીશ કર્નાડનો જન્મ 19 મે 1938ના મહારાષ્ટ્રના માથેરાનમાં થયો હતો. એમને ભારતમાં જાણીતા સમકાલીન લેખક, અભિનેતા, ફિલ્મ નિર્દેશક અને નાટ્યકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ગિરીશ કર્નાડના નિધનથી બોલીવુડમાં શોકનો માહોલ છે. ગિરીશ કર્નાડ સૌથી મોટી વાત એ છે કે તેમની હિન્દીની સાથે-સાથે કન્નડ અને અંગ્રેજી ભાષા પર સારી પકડ હતી.
ગિરીશ કર્નાડની રચનાઓ પર અલગ-અલગ નિર્દેશકો-ઇબ્રાહીમ અલકાજી, પ્રસન્ના, અરવિન્દ ગૌડ અને બી.વી. કારંતે વિવિધ સ્વરૂપે પ્રભાવી અને યાદગાર નિર્દેશન કર્યું હતું. એક કોંકણી ભાષી પરિવારમાં જન્મેલા કર્નાડે 1958માં ધારવાડ સ્થિત કર્ણાટક યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
Girish Karnad, veteran actor and playwright, and Jnanpith awardee, passed away this morning. More details awaited pic.twitter.com/YiQT8kCEqD
બાદમાં એક સ્કોલરના રૂપે ઇંગ્લેન્ડ ચાલી ગયા અને ત્યાં ઓક્સફોર્ડના લિંકોન અને મેગડેલન યુનિવર્સિટીમાંથી દર્શનશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, તથા અર્થશાસ્ત્રમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી. ઉપરાંત ગિરીશ કર્નાડ શિકાગો યુનિવર્સિટીના ફૂલબ્રાઇટ વિશ્વવિદ્યાલયમાં વિજીટીંગ પ્રોફેસર રહી ચુક્યા છે.
ગિરીશ કર્નાડને વિવિધ ક્ષેત્રે ઉતકૃષ્ટ યોગદાન બદલ પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ સહિત કન્નડ સિનેમામાં ઘણા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.