બંગાળમાં જેમ જેમ પ્રથમ ચરણના મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે, તેમ તેમ રાજકીય નિવેદનબાજી વધુને વધુ તીવ્ર બની રહી છે.
પીએમ મોદીએ સંબોધી જનસભા
બંગાળમાં ચૂંટણીને લઈને રાજકીય નિવેદનબાજી તેજ
પીએમ મોદીએ કહ્યું, 'વચેટિયાઓને નિર્મૂલ કરીશું'
આજે બંગાળના પૂર્વી મિદનાપુરના કાંથીમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે " TMC ના પાપનો ઘડો ભરાઈ ગયો છે. બંગાળને હવે ભાજપ સરકાર જોઈએ છે. પશ્ચિમ બંગાળમાં TMCની રમત પૂરી થઈ અને હવે વિકાસ શરૂ થશે. લાભાર્થીઓને સીધા તેમના ખાતામાં પૈસા આપવામાં આવશે. કોઈ વચેટિયા, દલાલ કે તોલેબાજ નહીં રહે " તેમણે વધુમાં કહ્યું હતું કે આખા બંગાળમાં હવે એક જ નારો ચાલી રહ્યો છે, 2 મઈ દીદી ગઈ...
મમતા બેનરજી પર સાધ્યું નિશાન, વડાપ્રધાને કહ્યું, તેમણે ખેડૂતોના પૈસા રોક્યા
પીએમ મોદીએ આજે પોતાના સંબોધનમાં બંગાળની મમતા બેનરજી સરકાર પર ઘણા આક્ષેપો કર્યા હતા, કેન્દ્રની કિસાન સન્માન નિધિ યોજનાની વાત કરતાં તેમણે કહ્યું હતું કે મમતા દીદીએ ત્રણ વર્ષ સુધી બંગાળના ખેડૂતોના પૈસા રોકી રાખ્યા છે, પીએમ મોદીએ કહ્યું હતું કે આ ચૂંટણી પછી બંગાળમાં ભાજપની સરકાર આવશે, અને મારા શબ્દો લખીને રાખજો, હું તમારા ત્રણ વર્ષના પૈસા આપીને જ રહીશ.
આ સિવાય વધુમાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં જો ભાજપની સરકાર આવશે તો દરેક સ્કીમને સ્કેમથી મુક્ત કરવામાં આવશે. રાજ્યના દરેક ગરીબ સુધી વિકાસને પહોંચાડવાનો અમારો સંકલ્પ છે, ભાજપ સરકાર આવશે તો તોલાબાજી અને કટમનીનો ખેલ ખતમ થશે, બંગાળમાં ડબલ એન્જિનની સરકારથી વિકાસ થશે, અને વિકાસની ગતિ પણ વધશે. બંગાળ સીએમ મમતા બેનરજી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે બંગાળમાં ખેલા નહીં, પણ સેવા હોબે, દીદીએ બંગાળની જનતાને અંધકાર આપ્યું, પણ ભાજપ સરકાર સોનાર બાંગ્લા આપશે.