ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મંગળવારે કહ્યું કે દક્ષિણ આફ્રિકાની સામે ત્રમ મેચોની સીરિઝની પહેલી ટેસ્ટમાં ઋષભ પંતની જગ્યાએ ઋદ્ધિમાન સાહા લેશે. કોહલીએ કહ્યું કે બંગાળનો ક્રિકેટર સાહા 'દુનિયાનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર' બનેલો છે.
સાઉથ આફ્રિકાની સામે પહેલી ટેસ્ટમાં ઋદ્ધિમાન સાહા વિકેટકીપિંગ કરતો જોવા મળશે
વિરાટ કોહલીએ મેચ પહેલા કહ્યું સાહા દુનિયાનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર છે
ઋદ્ધિમાન સાહા ફીટ છે અને સીરિઝની પહેલી મેચમાં એ રમવા માટે તૈયાર છે
સાહા ઇજાને કારણે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો, એને વિન્ડિઝ સીરિઝમાં વાપસી કરી
2 ઑક્ટોબકથી વિશઆખાપટ્ટનમમાં શરૂ થવા જઇ રહેલી ટેસ્ટ સીરિઝ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઋષભ પંત પર મોટો નિર્ણય લીધો છે. દક્ષિણ આફ્રિકાની સામે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝની પહેલી મેચ બુધવારથી રમાવાની છે, એના એક દિવસ પહેલા મીડિયા સાથે વાત કરતા કેપ્ટન કોહલીએ પોતાની રણનીતિ અને ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન પર વાત કરી. પહેલી ટેસ્ટમાં ઋષભ પંતને અંતિમ 11 ખેલાડીઓમાં જગ્યા મળી શકી નથી.
પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ઉત્તરાધિકારી સમજવામાં આવતો ઋષભ પંતને ટીમ મેનેજમેન્ટ ક્રિકેટના ત્રણેય પ્રારૂપોમાં વિકેટકીપર બેટ્સમેન જોઇ રહ્યા છે, એની પર સતત ભરોસો વ્યક્ત કરવા આવતી તક આપવામાં આવી રહી છે પરંતુ ઋષભ પંત ક્યારેય પણ એ અપેક્ષાઓ પર યોગ્ય ઊતર્યો નથી, કદાચ આ જ કારણ છે કે વિરાટ હવે ટીમમાં મોજૂદ અનુભવી વિકેટકીપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહાને તક આપવાના પક્ષમાં છે.
કોહલીએ કહ્યું કે બંગાળના ક્રિકેટર સાહા 'દુનિયાનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર' બનેલો છે. સાહા ઇજા થવાના કારણે લાંબા સમય સુધી ટીમમાંથી બહાર હતો અને ઓગસ્ટમાં વેસ્ટઇન્ડિઝ પ્રવાસ પર બે ટેસ્ટની શ્રેણીની સાથે ટીમમાં વાપસી કરી. સાહાને જો કે વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ રમવાની તક મળી નહીં અને બંને જ મેચોમાં પંતે વિકેટકીપરની ભૂમિકા નિભાવી.
કોહલીએ પહેલી ટેસ્ટ પહેલા કહ્યું, 'હાં, સાહા ફિટ છે અને રમવા માટે તૈયાર છે. એ અમારા માટે શ્રેણીની શરૂઆત કરશે. એનું વિકેટકિપીંગ બધા જાણે છે. એને જ્યારે પણ તક મળી ત્યારે એે બેટથી પણ સારું પ્રદર્શન કર્યું. આ દુર્ભાગ્યપૂર્ણ હતું કે ઇજાના કારણે એ બહાર રહ્યો. આ સ્થિતિમાં એ અમારા માટે શ્રૃંખલાની શરૂઆક કરી શકે છે.'
ઉલ્લેખનીય છે કે સાહાએ પોતાની છેલ્લી ટેસ્ટ જાન્યુઆરી 2018માં દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ રમી હતી. એની ગેરહાજરીમાં પંતે જવાબદારી સંભાળી અને ઇંગ્લેન્ડ તથા ઓસ્ટ્રેલિયામાં સેન્ચ્યુરીની સાથે ખેલના લાંબા પ્રારૂપમાં ટીમની પહેલી પસંદ બની ગયો. જો કે છેલ્લા કેટલાક સમયથી પંતના ખરાબ પ્રદર્શનના કારણે ટીકાઓનો સામનો કરવો પડ્યો અને કદાચ આ પણ એક કારણ છે કે ટીમ પ્રબંધને શ્રૃંખલાની શરૂઆત સાહાની સાથે કરવાનો નિર્ણય કર્યો. સાહાએ 32 ટેસ્ટમાં 30.63ની સરેરાશથી 1164 રન બનાવ્યા છે.
રોહિત શર્માના બેટિંગ ક્રમ પર પણ વિરાટે પોતાનું મંતવ્ય આપ્યું. વિરાટે કહ્યું, 'વિરાટ એક અનુભવી અને સારો બેટ્સમેન છે, અમે એને લઇને કોઇ પણ પ્રકારની ઊતાવળ કરી રહ્યા નથી.'
#TeamIndia for 1st Test of @Paytm Freedom Series for Gandhi-Mandela Trophy against South Africa.
Virat Kohli (Capt), Ajinkya Rahane (vc), Rohit Sharma, Mayank Agarwal, Cheteshwar Pujara, Hanuma Vihari, R Ashwin, R Jadeja, Wriddhiman Saha (wk), Ishant Sharma, Md Shami#INDvSA