ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિદ્ઘિમાન સાહા પોતાની ઇજાને કારણે ઇંગ્લેન્ડના પ્રવાસમાંથી બહાર છે. હવે સમાચાર આવ્યા છે કે સાહાની આ ઇજા તેના કરિયરને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. વાસ્તવમાં રિદ્ઘિમાના સાહાને ખભાની ઇજા ગંભીર છે અને આ માટે સાહાને તરત જ સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી છે. સર્જરી કરાવવાનો મતલબ એમ થશે કે સાહા થોડા દિવસ સુધી બેટ નહી ઉપાડી શકે અને આગામી 2-4 મહિનાસ સુધી ક્રિકેટથી દૂર રહેશે. 33 વર્ષના સાહાને કરિયરના આ સમયે થયેલી ઈજા તેના ક્રિકેટ કરિયરને ખતમ કરી શકે છે.
ફિઝિયોની થઇ ભૂલ:
સૂત્રોનુસાર સાહાની રિહૈબલિટેશન ફિઝિયો દ્વારા ખોટી રીતે કરવામાં આવી. જે કારણે તેને ખભામાં ગંભીર ઇજા થઈ છે. હાલમાં સાહાની સ્થિતિ એવી છે કે તે સ્ટ્રેચિંગ પણ નથી કરી શકતો. માનવામાં આવી રહ્યું છે કે સર્જરી બાદ સાહા ગ્રાઉન્ડમાં કમબેક કરી શકે છે. ઈજાના કારણે સાહા હાલના ઈંગ્લેન્ડ પ્રવાસ સાથે વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા ટૂરથી પણ બહાર થઈ શકે છે.
સાઉથ આફ્રિકાના પ્રવાસમાં થઇ ઇજા:
તમને જણાવી દઇએ કે રિદ્ઘિમાન સાહાને જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન અંગૂઠામાં ઇજા પહોંચી હતી. જોકે આ ઇજા સામાન્ય હતી અને આ સાથે જ સાહાને ખભા પર સામાન્ય દુખાવો હતો. જોકે ન તો સાહાએ અને ન તો ટીમ મેનેજમેન્ટે આ ઈજાને ગંભીરતાથી લીધી. કેટલાક દિવસો બાદ અંગૂઠાની ઈજા ઠીક થઈ ગઈ અને તેણે IPLમાં પણ ભાગ લીધો. માનવામાં આવી રહ્યું છે કે IPL દરમિયાન સાહાના ખભાની ઈજા વધુ થઈ જેને હવે સર્જરી બાદ ઠીક કરવામાં આવશે.
સાહાની ઇજા પર BCCI ચૂપ:
રિદ્ધિમાન સાહાની ઈજા પર BCCI હજુ સુધી ચુપ છે જેથી અનેક સવાલો ઉદભવી રહ્યા છે. BCCIએ સાહાના રિહેબલિટેશનની વાત સાર્વજનિક કેમ નથી કરી? હજુ સુધી સાહાની સર્જરી ક્યાં થશે તે પણ સ્પષ્ટ નથી. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા બોર્ડ કોન્ટ્રેક્ટ મુજબ પોતાના ખેલાડીઓના રિહેબલિટેશન અને કમબેકની સંભાવના પર સમસ-સમય પર અપડેટ જણાવી દે છે જ્યારે BCCIએ આ મામલે કોઈ અપડેટ આપ્યું નથી.