આજથી કારતક મહિનાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે તુલસી પૂજા કરવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થશે.
આજથી કારતક મહિનાની શરૂઆત
તુલસી પૂજા કરવાથી થશે ફાયદો
પૂજા કરવાથી અટકેલા કામો થઇ જશે
હિન્દુ ધર્મમાં કારતક મહિના દરમિયાન તુલસી પૂજાનું ખાસ મહત્વ છે. આમ તો વર્ષ દરમિયાન તુલસી પૂજા કરવામાં આવે જ છે પરંતુ કારતક મહિનામાં તુલસી સામે દિવો કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ વખતે કારતક મહિનો 21 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રહેશે. માન્યતા છે કે લાંબા સમયથી નિંદ્રાધીન થયેલા વિષ્ણુ આ મહિનામાં જાગી જાય છે અને તુલસી પૂજાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.
તુલસી પૂજાનું મહત્વ
પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં તુલસી પૂજા થાય છે તે ઘરમાં યમદૂત પ્રવેશ કરતા નથી. તુલસીનો વિવાહ શાલિગ્રામ સાથે થયો હતો માટે કહેવામાં આવે છે કે જે તુલસીની પૂજા કરે છે તેને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.
આ છે કથા
એક કથા અનુસાર ભગવાન વિષ્ણુએ તુલસીને વરદાન આપ્યું હતું કે મને શાલિગ્રામ નામથી તુલસી સાથે પૂજવામાં આવે, જો કોઇ મારા વગર તુલસીની પૂજા કરશે તો હું તેનો ભોગ સ્વિકાર નહી કરું.
આ રીતે કરો પૂજા
શાસ્ત્રો અનુસાર તુલસીની ચારે બાજુ સ્તંભ બનાવી તેને તોરણથી સજાવવી જોઇએ. સ્તંભો પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવી રંગોળીથી અષ્ટદળ કમળ સાથે શંખ ચક્ર તેમજ ગાયનો પગ બનાવી સર્વાંગ પૂજા કરવી જોઇએ. તુલસીનું આહ્વાન કરીને ધૂપ, દીપ, કંકુ, સિંદુર, ચંદન વગેરે અર્પણ કરવું જોઇએ. દિવો કરીને તેમની પૂજા કરવી જોઇએ.
શ્રેષ્ઠ મહિનો કારતક
શાસ્ત્રોમાં વેદ, નદિયોમાં ગંગા અને યુગોમાં સતયુગ શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. તે જ રીતે મહિનાઓમાં કારતક માસને સર્વશ્રેષ્ઠ મહિનો માનવામાં આવ્યો છે.