શિવજીને પ્રિય શ્રાવણ મહિનાનો શરૂ થઇ ગયો છે. શિવભક્તો પણ શિવજીની આરાધના કરીને પુણ્ય મેળવવા આતુર રહે છે. આ મહિનામાં પારદ (પારાના બનેલા) શિવલિંગની વિશેષ પૂજા કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. લિંગપુરાણ અને શિવપુરાણમાં પારદ શિવલિંગનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. વિશેષ મહત્વ દર્શાવાયું છે. આ સિવાય ઘરમાં પણ આ શિવલિંગ રાખવામાં આવે તો વિશેષ લાભ થાય છે. વાસ્તુમાં પણ પારદ શિવલિંગને ઘરના દોષ દૂર કરનાર માનવામાં આવે છે. તો તમે પણ શક્ય હોય ત્યાં સુધી શ્રાવણમાં આ શિવલિંગની પૂજાનો આગ્રહ રાખો.
શ્રાવણમાં શિવપૂજાનું છે ખાસ મહત્વ
પારદ શિવલિંગની પૂજાથી મળે છે કરોડો ગણું પુણ્ય
ઘરમાં આ શિવલિંગ રાખવાથી વાસ્તુ દોષ થાય છે દૂર
ઘરમાં પારદ શિવલિંગ રાખવાના આ છે ખાસ નિયમો
ઘરમાં હાથના અંગૂઠાના પહેલાં ભાગથી મોટું શિવલિંગ રાખવું જોઇએ નહીં.
જ્યાં શિવલિંગ રાખવામાં આવ્યું હોય, ત્યાં સાફ-સફાઇનું વિશેષ ધ્યાન રાખવું.
રોજ સવાર-સાંજ શિવલિંગ પાસે દીવો પ્રગટાવવો અને ભોગ ધરાવવો જોઇએ.
ઘરમાં ક્લેશનું વાતાવરણ ઊભું થવા દેવું નહીં.
શિવ મંત્રોનો જાપ પણ કરવો. તેનાથી શિવજી પ્રસન્ન થાય છે.
કરોડો શિવલિંગના ફળથી પ્રાપ્ત થતાં ફળથી પણ કરોડો ગણું મળે છે પુણ્ય
આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે, કરોડો શિવલિંગના પૂજનથી જે ફળ પ્રાપ્ત થાય છે, તેનાથી પણ કરોડ ગણું વધારે ફળ પારદ શિવલિંગની પૂજા અને દર્શનથી પ્રાપ્ત થાય છે. પારદ શિવલિંગના સ્પર્શ માત્રથી બધા પાપમાંથી મુક્તિ મળી શકે છે.
તરલ ધાતુ પારાથી શિવલિંગ કેવી રીતે બને છે?
પારો તરલ ધાતુ છે. તેના દ્વારા શિવલિંગ બનાવવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે. પારદ શિવલિંગ બનાવવું મુશ્કેલ છે અને તેમાં વધારે સમય પણ લાગે છે. સૌથી પહેલાં પારાને સાફ કરવામાં આવે છે. પારદ શિવલિંગ બનાવવા માટે પહેલાં તો અષ્ટ-સંસ્કાર કરવામાં આવે છે. ત્યાર બાદ અનેક ઔષધીઓ મિક્સ કરીને તરલ પારાને બાંધવામાં આવે છે. એટલે કે તેને ઘન રૂપ આપવામાં આવે છે. અષ્ટ સંસ્કારમાં લગભગ 6 મહિનાનો સમય લાગે છે. ત્યાર બાદ અન્ય ક્રિયાઓમાં 2-3 મહિનાનો સમય લાગે છે. આટલાં મહિનાની મહેનત બાદ પારામાંથી શિવલિંગ બનીને તૈયાર થાય છે.