હિંદુ ધર્મમાં ગણેશ પૂજાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત ગણેશ પૂજાથી કરવામાં આવે છે. બુધવાર ગણેશજીને સમર્પિત છે. ગણેશજીની પદ્ધતિસર પૂજા કરવાથી વિઘ્નહર્તા ગણેશ તેમના તમામ દુ:ખ દૂર કરે છે.
હિંદુ ધર્મમાં ગણેશ પૂજાનું વિશેષ મહત્વ
તમામ દૂખ દૂર કરે છે વિઘ્નહર્તા ગણેશ
બુધવારે આ રીતે કરો પૂજા
અઠવાડિયાના સાત દિવસો કોઈને કોઈ દેવતાને સમર્પિત છે. બુધવાર પ્રથમ પૂજનીય ગણેશને સમર્પિત છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સાથે ગણપતિ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરે છે. જે લોકોની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તેમને ખાસ કરીને બુધવારે પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે.
તેનાથી તેનો બુધ દોષ સમાપ્ત થાય છે. આજે અમે જાણીશું કે કેવી રીતે બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવાથી શારીરિક અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. આવો જાણીએ ભગવાન ગણેશની પૂજા કરવાની સાચી રીત અને ઉપાય.
બુધવારે આ પદ્ધતિથી કરો ગણેશ પૂજા અને ઉપાય
બુધવારે સવારે સ્નાન કર્યા પછી સવારે ઉઠીને ગણેશજીની પૂજા કરો, ભગવાન ગણેશ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.
જ્યારે વ્યક્તિનો બુધ નબળો હોય ત્યારે વ્યક્તિએ લીલા વસ્ત્રો પહેરવા જોઈએ. નહીં તો લીલો રૂમાલ જોડે રાખો. આ દિવસે કોઈ વ્યક્તિને લીલા મગની દાળ અને લીલા કપડાનું દાન કરો.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવારે ગાયને લીલુ ઘાસ ખવડાવવાથી લાભ થાય છે. ગણપતિના માથા પર સિંદૂરનું તિલક લગાવો. આમ કરવાથી વ્યક્તિને દરેક કાર્યોમાં સફળતા મળે છે. આ ઉપરાંત આર્થિક પ્રગતિ થાય છે.
શાસ્ત્રો અનુસાર ગણેશજીને લાડુ કે મોદક ખૂબ પ્રિય છે. તેથી બુધવારે ભગવાન ગણેશને મોદક ચઢાવો. તેનાથી વ્યક્તિના જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશને શમીના પાન અર્પણ કરવાથી વ્યક્તિમાં તણાવ અને માનસિક સમસ્યાઓ દૂર થાય છે. બુદ્ધિનો વિકાસ થાય છે.
આ દિવસે ગણેશજીના બીજ મંત્ર “ઓમ ગણ ગણપતયે નમઃ” નો જાપ કરો.
ગણેશજીની પૂજા વિધિ
બુધવારના દિવસે સવારે ઉઠીને સ્નાન કરી પૂજા શરૂ કરવી. પહેલા ગણેશજીનું ધ્યાન કરો અને પછી પૂજા શરૂ કરો. જો તમે બુધવારના રોજ ઉપવાસ કરવાનું વિચારતા હોવ તો વિધિ પ્રમાણે ઉપવાસનો સંકલ્પ કરો. પૂજા માટે પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને બેસો. ત્યારબાદ ગણેશજીને ફૂલ, ધૂપ, દીવો, કપૂર, નાડાછડી, ચંદન, મોદક વગેરે અર્પણ કરો.
ગણેશજીને માથા પર સૂકું સિંદૂર ચઢાવો. ત્યારબાદ ગણેશજીની આરતી કરો અને ગણેશ મંત્રોનો જાપ કરો. આ દરમિયાન દુર્વા ઘાસનો ઉપયોગ કરો. એવી માન્યતા છે કે દુર્વા ચઢાવવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે.