ભગવાનના વાઘાના પૂજનનું પણ મહત્વ અનેરું છે ત્યારે રથયાત્રાના 144 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર વાઘા યજમાનના ઘરે પહોંચાડવામાં આવ્યા છે.
મંદિરના બદલે અન્ય યજમાનના ઘરે વાઘાની પૂજા
વાઘાનો વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરાઇ
મંદિરના મહંત દિલીપદાસજી પણ પૂજામાં રહ્યા હાજર
ભગવાન જગન્નાથજીના વાઘાની વિશેષ પૂજાનું આયોજન
ગુજરાતના અમદાવાદમાં યોજાતી જગવિખ્યાત રથયાત્રાને લઈને ધાંધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સરકારે આ વર્ષે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને હજુ સુધી રથયાત્રાને લઈને કોઈ જાહેરાત કરી નથી. જોકે ભક્તો અને મહંતોને વિશ્વાસ છે કે આ વર્ષે રથયાત્રા યોજવામાં આવશે.
144 વર્ષમાં પ્રથમ વાર વાઘા યજમાનના ઘરે પહોંચાડાયા
રથયાત્રા માત્ર એક દિવસનો તહેવાર નથી. રથયાત્રા થાય તેના ઘણા દિવસ પહેલાથી અલગ અલગ વિધિ કરવામાં આવે છે. જળયાત્રા બાદ ભગાવન જગન્નાથ મામાના ઘરે આવે છે અને તે બાદ નગરચર્યા સુધીના દિવસની વચ્ચે વાઘાથી લઈને મામેરા સુધીની જુદી જુદી તૈયારીઓ કરવામાં આવે છે. ભગવાનના વાઘાના પૂજનનું પણ મહત્વ અનેરું છે ત્યારે રથયાત્રાના 144 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર વાઘા યજમાનના ઘરે પહોંચાડવામાં આવ્યા છે.
રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ ગુજરાતી સટાઇલના વાઘા પહેરશે
નોંધનીય છે કે દાયકાઑથી ભગવાન જગન્નાથના વાઘાની પૂજા મંદિરમાં જ કરવામાં આવતી હતી પરંતુ આ વર્ષે વાઘાનું પૂજન યજમાનના ઘરે જ કરવામાં આવી રહ્યું છે. જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ પણ આ પૂજામાં સામેલ થયા હતા. વૈદિક મંત્રોચ્ચાર સાથે બે દિવસ સુધી વાઘાની પૂજા વિધિ કરવામાં આવશે. આ વર્ષે જગન્નાથથી રથયાત્રાને દિવસે ગુજરાતી સ્ટાઈલના વાઘા પહેરીને ભક્તોને દર્શન આપશે.