જો તમે પણ ઇચ્છો છો તમારા લગ્ન મનપસંદ સાથી સાથે થાય તો તમે એક વખત જરૂરથી આ મંદિરમાં જાવ અને એક વખત હનુમાનજીના દર્શન કરો. કહેવાય છે કે આ મંદિરમાં આવનાર દરેક શ્રદ્ધાળુઓની મનોકામના હનુમાનજી પૂર્ણ કરે છે.
લાઇફમાં સાચો પ્રેમ દરેક લોકોને મળતો નથી. જે લોકો રિલેશનમાં રહે છે એ લોકો ઇચ્છે છે કે એમનો પ્રેમ એમને કોઇ પણ સંજોગે મળી જાય કારણ કે જીવન ખુશીથી પસાર કરી શકે. પરંતુ ઘણી વખત એવું થાય છે કે એક બીજાને પ્રેમ કરે છે એમને અલગ થવું પડે છે, જે એમના માટે દુ:ખ દાયક હોય છે.
પરંતુ આજે અમે તમને એક એવા મંદિર માટે જણાવવા જઇ રહ્યા છીએ જ્યાં જઇને તમે તમારા મનની ઇચ્છા પૂર્ણ કરી શકો છો. કહેવામાં આવે છે કે અહીંયા ઘણા પ્રેમી કપલ આવ્યા છે. જેમની ઇચ્છા પૂર્ણ થઇ છે. જો તમે પણ ઇચ્છો છો તમારા લગ્ન મનપસંદ સાથી સાથે થાય તો તમે એક વખત જરૂરથી આ મંદિરમાં જાવ અને એક વખત હનુમાનજીના દર્શન કરો. કહેવાય છે કે આ મંદિરમાં આવનાર દરેક શ્રદ્ધાળુઓની મનોકામના હનુમાનજી પૂર્ણ કરે છે.
કહેવાય છે કે હનુમાનજીનું આ મંદિર મધ્યપ્રદેશના આગાસૌદમાં છે. જબલપુરમથી આ મંદિર 20 કિલોમીટર દૂર છે. જાણવા મળી રહ્યું છે કે આ મંદિરમાં આવનાર દરેક પ્રેમી કપલ લાલ ગુલાબનું ફૂલ ચઢાવે છે. કહેવાય છે કે હનુમાનજી ને લાલ ગુલાબ ખૂબ જ પસંદ છે. આવું કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને ભક્તોની ઇચ્છા પૂર્ણ થાય છે.
કહેવામાં આવે છે કે જેના લગ્ન થતા નથી એ લોકો પણ અહીંયા આવે છે. આ ઉપરાંત એ લોકો પણ અહીં આવે છે જેમના સંબંધમાં કડવાહટ આવી ગઇ હોય. કહેવાય છે દર મંગળવારે અહીંયા ખૂબ જ ભક્તોની ભીડ લાગે છે.